પાવાગઢ પર્વતના સૌથી ઉંચા શિખરની ઉત્તરે મૌલિયાટૂકના મેદાની ભાગમાં વિસ્તરેલ ખીણ નવલખી ખીણ તરીકે ઓળખાય છે. અહીં નવલખા કોઠાર નામે ખ્યાતિ પામેલ પ્રાચીન ઈમારત મોગલકાળની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે.
નવલખી ખીણની ધાર ઉપર પ્રસ્થાપિત વિશાળ ગુંબજ ધરાવતા સાત ખંડોની ટી આકારની આ ઈંટેરી ઈમારત પ્રાચીન કાળમાં અનાજ-સંગ્રહ તરીકે ના કોઠાર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.
Comments
Post a Comment