Skip to main content

જામનગરની પ્રજાએ કુંવર અજાજીના મૃત્યુનો શોક અઢીસો વર્ષ પાળીને રાજભક્તિ દર્શાવી..

 મીરઝા અઝીઝ કોકની રાહબરી નીચે- અકબરની ફોજ ધ્રોળ સુધી આવી પહોંચી. ભૂચર મોરીના વિશાળ મેદાનમાં જામ સતાજી લાવલશ્કર લઇને આવી પહોંચ્યા. પ્રચંડ તાકાત અને વિશાળ સૈન્ય બળ ધરાવતી બંને ફોજ વચ્ચે ભીષણ યુદ્ધનો રંગ જામ્યો. શૂરવીર રાજપૂતો રણમેદાનમાં ખાંડાના ખેલ ખેલવા માંડ્યા. હાથીઓની હિબસુ બોલવા માંડી, ઊંટ ગાંગરવા માંડ્યા. અશ્વોની હણહણાટી અને તોપગોળાના અવાજ સંભળાવા માંડ્યા. લડાઇ લાંબી ચાલી. મોગલોનું સૈન્ય જંગી હતું. ચોમાસાની ૠતુ હોવાથી કાદવ કીચડ અને નદીનાળાંથી છલકાતી ધરતી પર શાહી સૈન્યને જામના લશ્કર સામે વ્યૂહરચનામાં ફાવટ ન આવી. વળી જામશ્રીએ બાદશાહી લશ્કરને મળતી ખોરાક અને યુઘ્ધની મળતી તમામ સામગ્રીનો પુરવઠો અટકાવી દીધો. બાદશાહનું લશ્કર મુશ્કેલીમાં મૂકાઇ ગયું. સોરઠી તવારિખના કર્તા દિવાન રણછોડજી નોંધે છે કે ‘તે વખતે બાદશાહી છાવણીમાં એક રૂપિયે શેર અનાજ વેચાતું હતું.’ સીધી લડાઇને બદલે સામસામા છૂટાછવાયા હૂમલા શરૂ થયા. બાદશાહનો સુબો અઝીઝ કોક અને તેના સાથીદારો બે ત્રણ મહિનાની લાંબી લડાઇથી છેવટે કંટાળી ગયા. રાજપૂતોએ રાતવરતના છાપા મારી બાદશાહના લશ્કરમાં અસંખ્ય હાથી, ઘોડા ને ઊંટ લૂંટી લીધા.


આથી થાકીને બાદશાહના સુબાએ હળવદના રાજવી ચંદ્રસંિહ દ્વારા સમાધાની વાતો ચલાવી. સમાધાન થાય તો સુબાએ ૨ લાખ જામસતાજીને અને રૂા. એક લાખ ખાનગીમાં ચંદ્રસંિહને આપવાનું ઠરાવ્યું. આ બાબતની જાણ જૂનાગઢના દોલતખાન તથા લોમા ખુમાણને થતાં બંનેને ચંિતા થઇ પડી કે જો લડાઇમાં જામસતાજીનો વિજય થશે તો આપણાં રાજ્યોની સલામતી નહીં રહે. આથી એમણે અઝીઝકોકને ખાત્રી આપી કે પારોઠનાં પગલાં ભર્યા વિના યુઘ્ધ લડી લો. લડાઇ નિર્ણાયક બનતા અમારા લશ્કરો તમારી સાથે ભળી જશે. એ પછી સમાધાનની વાત પડતી મૂકી અઝીઝકોકે સતાજીને યુઘ્ધનું કહેણ મોકલ્યું. જામસતાજી પોતાના લશ્કર સાથે લડાઇમાં ઉતર્યા. ભયંકર લડાઇના પરિણામે અને લોમો ખુમાણ ૨૪ હજારનું સૈન્ય લઇ સુબા સાથે જોડાઇ ગયા. ત્રણ પ્રહર સુધી ચાલેલી ખુનખાર લડાઇ પછી જેસા વજીરે જામશ્રીને કહ્યું ઃ ‘દગાખારોએ દગો કર્યો છે. અમે રણસંગ્રામ ટકાવી રાખશું. આપ જામનગર પધારો અને રાજકુટુંબનો બંદોબસ્ત કરો. જામશ્રીને વાત વ્યવહારું લાગતા તેઓ હાથીના હોદ્દા પરથી નીચે ઊતરી ઘોડા માથે સવાર થયા અને થોડા અંગરક્ષકો સાથે જામનગર આવ્યા. એ વખતે કુમાર શ્રી અજાજીના તાજાં લગ્ન લેવાયા હોવાથી તેઓ જામનગરમાં જ હતા. લડાઇ ચાલુ છે તેની જાણ થતાં જ તેઓ જામશ્રીની રજા લઇ ૫૦૦ રાજપૂત જાનૈયા સાથે ભૂચર મોરીના મેદાનમાં આવી પહોંચ્યા.
અજાજીના અણધાર્યા આવવાથી જામસતાજીના લશ્કરમાં નવા પ્રાણ પુરાયા. બીજા દિવસે પ્રાતઃકાળે બંને સેનાઓ સામસામી ટકરાઇ. કુંવર અજાજીએ પોતાના પાંચસો યોઘ્ધાઓને કેશરિયા પોષાકથી સજ્જ કરી મરણિયા બની કેશરિયા કર્યા. હાથમાં તલવાર અને સાંગ લઇ ઘોડેસ્વાર થઇ વીજળી પડે એમ લશ્કર પર ત્રાટક્યા ઃ ‘આઝમ ક્યાં છે? આઝમ ક્યાં છે?’ એમ બોલી માર માર કરતાં બાદશાહનું અરઘુ લશ્કર ઓળંગી ગયા. આજમના હાથીની પાસે પહોંચી ઘોડાની વાઘ ખેંચીને પગની એડી મારતા તાલીમી ઘોડાએ ઝાડ થઇ બે પગ હાથીના દંતશૂળ પર માંડ્યા. કુંવરશ્રી સાંગનો જોરૂકો ઘા કર્યો. આઝમ અંબાડીમાં લોખંડની કોઠીમાં સંતાઇ ગયો. અંબાડી વીંધીને સાંગ આરપાર નીકળી ગઇ.
કુંવર શ્રી અજાજીના મહાયુઘ્ધનું વર્ણન કરતાં ‘વિભાવિલાસ’ના કર્તા કવિશ્વર વજમાલજી લખે છે કે હાથીઓના કુંભસ્થળોમાં પડતી તલવારો વાદળમાં સળાવા કરતી વીજળીની પેઠે ચમકવા લાગી. કુંવરશ્રી ઘોડાઓ સહિત અસ્વારોના બબ્બે કટકા કરવા લાગ્યા. નાગજી વજીર વગેરે ૫૦૦ યોઘ્ધાઓએ તલવારોની બટાઝોટી બોલાવવા માંડી. માથાં તડોતડ ઉડવા લાગ્યા. કેટલાંક ધડ લડવા લાગ્યાં. કેટલાક તરફડવા લાગ્યાં. જોગણીઓ લોહીથી ખપ્પર ભરવા લાગી. માંસાહારી પક્ષીઓને મિજબાની મળી ગઇ. રણક્ષેત્રમાં લોહીની નદીઓ વહેવા માંડી. જોગણીઓનાં ઝુંડેઝુંડ ફરવા લાગ્યાં. પીધેલા લોહીના રંગાડાથી જોગણીઓનાં મોઢાં ભયંકર લાગવા માંડ્યા. ગરંજો માંસના ગોળા ગળવા લાગી. શૂરવીરોને વરવા અપ્સરાઓ વરમાળ લઇ ઝળુંબી રહી. મનવાંચ્છીત વરો મળતાં ધૂંઘટા કાઢી છેડાછેડી બાંધી સ્વર્ગ તરફ ચાલવા લાગી. ભૈરવાદિ વીરો ડાક વગાડવા લાગ્યા. શંકર રૂંઢમાળ વાસ્તે માથાં વીણવા લાગ્યા.
ઓળખ થતાં મોગલ સૈનિકોએ મીંઢોળબંધા કુંવર અજાજી ઉપર એકસામટાં હથિયાર ચલાવ્યાં. તલવારનો ઝાટકો પડતાં અજાજીનું માથું ધડથી જુદું થયું. ભૂચર મોરીની લડાઇમાં અજાજી ઉપરાંત જેસો વજીર, ભાણદલ, મહેરામણજી, નાગડો વજીર અને ડાયો જેવા વીરપુરૂષો મરાયા. એક હજાર નાગડા બાવાઓ આ લડાઇમાં વીરત્વ બતાવીને ખપી ગયા. મહેરામણજીના ૧૪ દિકરાઓ કામ આવ્યા. સતાજીના લશ્કરનો સોથ વળ્યો. કહેવાય છે કે આ યુઘ્ધમાં બંને પક્ષે મરનારની સંખ્યા દસ હજાર ઉપરાંતની હતી. યુઘ્ધમાં સતાજીના ભત્રીજા, જમાઇ સહિત ૬૭ સગાઓ યુઘ્ધમાં મરણને શરણ થયા.
ભૂચર મોરીના મેદાનમાં અજાજી વીરગતિને વર્યા છે એવા માઠાં સમાચાર મળતાં રાણીસાહેબાને મળ્યા. એ વખતે સચાણાના ઈસરદાનજી બારોટના પુત્ર ગોપાલ બારોટે ઘવાયેલી સ્થિતિમાં ઘોડા પર આવી ને અજાજીની પાઘડી નવોઢા રાણીને આપી. પાઘડીના દર્શન થતાં જ એમને સત ચડ્યું. અજાજીનાં રાણી સૂરજકુંવરબા રથ જોડાવીને ભૂચર મોરીના રણક્ષેત્રમાં જવા નીકળ્યાં. એ વખતે મોગલ સૈનિકોએ રથને અટકાવવાની કોશિષ કરી, ત્યારે સૌરાષ્ટ્રના નેકટેકના દર્શન થયા. ધ્રોળના ભાયાતોએ જામસતાજી સાથેના મનદુઃખને કારણે યુઘ્ધમાં ભાગ લીધો નહોતો. તેમ છતાં આ સમયેપોતાનો ક્ષત્રિય ધર્મ યાદ કરી મુસલમાનોથી રાણીને બચાવવા મુસ્લિમોને પોતાના રીતરિવાજો સમજાવ્યા. પછી સૂરજકુંવરબાનો રથ યુઘ્ધના મેદાનમાં આવ્યો ત્યારે ધ્રોળના રાજપૂતોએ સતી થવા માટેની તેમની બધી તૈયારીઓ કરાવી દીધી. અહીં રણક્ષેત્રમાં સોઢાપુત્રી સૂરજકુંવરબા અજાજીના મસ્તકને ખોળામાં મૂકીને સતી થયા. ડૉ. પ્રદ્યુમ્ન ખાચર નોંધે છે કે ‘આ સૌરાષ્ટ્રની ખાનદાની હતી. આ રાજપૂતોની રખાવટ હતી કે ભલે દુશ્મનાવટ હોય કે અમુક સમયે મનદુઃખ હોય તો પણ સંકટ સમયે સૌ સાથે જ રહ્યા છે.’
અનેક શૂરવીરોની આહૂતિ પછી સૌરાષ્ટ્રની આ છેલ્લી અને સૌથી મોટી ભૂચર મોરીની લડાઇ વિ.સં. ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૨) શ્રાવણ વદી સાતમ (શિતળા સાતમ)ના રોજ સમાપ્ત થઇ. કુંવર અજાજી આ દિવસે સ્વર્ગે સિધાવ્યા હોવાથી એમના શોકમાં તે વખતના જામનગર રાજ્યની પ્રજાએ હાલાર પ્રદેશમાં શિતળા સાતમની ઉજવણી અને મેળા ભરવાનું બંધ કર્યું હતું. અજાજીના મૃત્યુનો શોક પાળી રાજભક્તિ બતાવી હતી. ૨૫૦ વર્ષ પછી જામ રણમલજીને ત્યાં પાટવી કુંવર બાપુભાનો જન્મ શ્રાવણ વદ સાતમને દિવસે થયો ત્યારે રાજ્યના હુકમથી એ તહેવાર પુનઃ ઉજવવાની શરૂઆત થઇ. એ પછી આજેય જામનગરમાં સાતમ આઠની સવારી ચડે છે અને મેળાઓ ભરી સાતમની ઉજવણી કરવામાં આવેછે.
ભૂચરમોરીની જગા પર જ્યાં યુઘ્ધ થયું હતું ત્યાં ઊંચા પગથાર ઉપર જામશ્રી અજાજીની દેરી છે. એમાં તેમનો ઘોડેસ્વાર પાળિયો છે. બાજુમાં સતીનો પાળિયો છે, જેમાં હાથનો પંજો છે. તે સૂરજકુંવરની ખાંભી છે. સંિદૂર લગાડવાને કારણે પાળિયા પરનો લેખ વાંચી શકાતો નથી. આ પાળિયા પર જામશ્રી વિભાજીએ દેરી ચણાવી જીર્ણોઘ્ધાર કર્યો તે વખતની વિગતનો શિલાલેખ આ દેરીમાં છે. તેની ઉપર ઉત્તર તરફની દિવાલે બાદશાહનો સુબો હાથી ઉપર બેઠો છે. જામ અજાજી પોતાના ઘોડાને કૂદાવી સૂબાને સાંગ મારે છે તેવું ચિત્ર આલેખ્યું છે. અજાજીની દેરીના પટાંગણમાં રામ, લક્ષ્મણ અને ભૂતનાથનાં નાના નાના મંદિરો આવેલાં છે.
દેરીની ઉત્તરે આઠ પાળિયા જમીન ઉપર છે. તેમાંનો એક જેસાજી વજીરનો છે. તેની હારમાં બીજા ચાર પાળિયા છે. તેનાથી થોડે દૂર ત્રણ ઊંચા પાળિયા છે. તેના પર ‘સંવત ૧૬૪૮ બરખે શ્રાવણ વદ ૮’ એટલું વંચાય છે. જામશ્રી અજાજીની દેરીથી દક્ષિણે છ પાળિયા છે. તેમાં બે ત્રણ અર્ધા તૂટેલા છે. દેરીની સામેની બાજુ પૂર્વમાં કાળા પથ્થરની અણઘડ ખાંભીઓ છે. તેના માથે સંિદૂર ચડાવેલું છે. આ ખાંભીઓ નાગાબાવાની જમાતની છે, એમ ત્યાંના મંદિરના પૂજારી કહે છે. અહીં રણમેદાનમાં કુંવર અજાજી, રાણી સૂરજકુંવરબા સહિત ૨૩ પાળિયા કોટના કંપાઉન્ડમાં છે. બહારના ભાગમાં બીજા આઠ પાળિયા જોવા મળે છે. એનાથી થોડે છેટે રખેહર ઢોલીની ખાંભી છે. બધા મળીને ૩૨ પાળિયાઓ આવેલા છે. જામનગર રાજ્ય તરફથી દર વરસે માણસો સંિદૂર ચડાવવા આવે છે ત્યાં કસૂંબો કરી ડાયરાને પાઇ ડાડાને ચોખાનું નેવૈદ્ય કરી અજાજી અને સૂજરકુંવરબાના પાળિયાનું પૂજન કરેછે.
જામશ્રી અજાજીની દેરીથી નૈૠત્ય ખૂણામાં ભૂચર મોરીમાં જે મુસલમાનો કામ આવ્યા તેમને દફનાવેલ છે. આ કબ્રસ્તાન ફરતી કાંટાળી વાડ છે. વચમાં બાંધેલો કૂવો છે. બાજુમાં મસ્જિદ છે. માત્ર આઠ જ કબરો હોવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે એક મોટો ખાડો ગાળી તેમાં લાશોને દફનાવી તેના ઉપર સરદારોની આઠ કબરો બનાવી હશે!
બાદશાહ અકબરના દરબારના કવિ દુરશાજી આઢાએ અજાજીની વીરતા અંગે વીર અને શૃંગારરસ મિશ્રિત કાવ્ય રચ્યું છે જે ‘કુમાર શ્રી અજાજીની ભૂચર મોરીની ગજગત’ના નામથી સુપ્રસિઘ્ધ છે. રાજકવિ નારણદાનજીએ અજાજીને રંગ દેતાં લખ્યું છે ઃ
કુંવર અજો યુઘ્ધ આંગણે, સોંપી ક્ષાત્ર શરીર;
પૃથ્વી ભલકારો પામિયો, રંગ તને રણવીર.
ભૂચર મોરીની જગા વિશાળ અને બેઠી ધારડીવાળી હોવાથી આસપાસનો વિસ્તાર આવળ, બાવળ, બોરડી અને કેરડાથી છવાયેલો જોઇ શકાય છે. અહીં પગ મૂકતાં જ વીરભૂમિ હોવાનો અહેસાસ
થાય છે. સવા ચારસો વર્ષ પછીયે ખેલાયેલા માનવસંહારની ભીષણ લીલાના ભેંકાર પડછંદા અહીં સંભળાય છે. સુડતાલીસ હજાર સૈનિકોના તલવારોના વીજળી જેવા ઝબકારા, યુઘ્ધે ચડેલા ઝનૂની નાગડા બાવાઓની જમાતના ચિપિયાઓના ખણખણાટ, બૂંગિયા ઢોલ, નગારાંના ધોંસા અને મરણિયા બનેલા વીરોના હોંકારા પડકારાના પડઘા સંભળાય છે. રણક્ષેત્ર સૂનું પણ ભયાનક ભાસે છે.
આ ઐતિહાસિક સ્થળને પુરાતત્ત્વખાતા તરફથી રક્ષિત જાહેર કરાયું છે. ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં દર વરસે શ્રાવણ વદ અમાસનો મોટો મેળો ભરાય છે. જામનગર અને આજુબાજુના ગામના લોકો મેળો માણવા ઉમટી પડે છે. વીરપૂજાના પ્રતીકસમા આ મેળામાં અગાઉ જામસાહેબ ખુદ હાજરી આપતા. અહીં શૂરવીરો ખાંડાના ખેલ ખેલતા. તલવારો સમણતા. રાસ મંડળીઓ રાસે રમતી. આજે પોરબંદરની મેર રાસ મંડળી, બાંટવાની રાજપૂતપરા રાસ મંડળી અને લતીપુરની પટેલ રાસ મંડળીના ઢાલ તલવારના રૂંવાડાં ખડાં કરી દેનારા વિશ્વવિખ્યાત રાસ આ મેળાની દેણગી મનાય છે. કહેવાય છે કે એની શરૂઆત સિત્તેરેક વર્ષ મોર્ય લતીપુરના પટેલોએ આ મેળામાંથી કરી હતી.


સને ૧૯૯૨માં આ ઐતિહાસિક પ્રસંગને ૪૦૦ વર્ષ પૂરાં થતાં હોઇ જાણીતા નવલકથાકાર શ્રી હરિલાલ ઉપાઘ્યાયના સૂચનને સ્વીકારીને શિતળાસાતમના દિવસે શહીદોને સ્થળ પર શ્રઘ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો જેમ આજપર્યંત ચાલુ છે. સને ૧૯૯૮માં ‘ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ રચાયું છે. તેના ઉપક્રમે ક્ષત્રિય સમાજ સ્વયંભૂ રીતે શિતળા સાતમે ઉપસ્થિત થાય છે. અહીં આવેલા સ્મારકો, ડેરી, ખાંભીઓ વગેરેનો ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર કરી રાષ્ટ્રની ધરોહરને, વિરાસતને જાળવવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.




Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘો...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...