Skip to main content

આદિ શંકરાચાર્ય

 વૈશાખ સુદ પંચમી



 શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો.અત્યારે જે ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર  અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહ્ત શંકરવીજય" નામનો ગ્રંથ લખેલ.

આદિ શંકરાચાર્ય

तिष्ये प्रयात्य नलसेवधि बाणनेत्रे |

ये नंदने दिनमणा वुदगढ़वभाजी |

राधे दिते रुडुविनिर्गतमन्गलग्ने |

स्याहूतवान सिवगुरुहू सच श्रंकरेति ||

અર્થ;- કળીયુગ( ઇ. સ.પુર્વ 3102થી ચાલુ) ના નંદન સંવત 2593ના વર્ષમાં, રવીવાર, વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો. તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો  હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો હતો."નેપાલરાજા વંશાવલી" પ્રમાણે નેપાલના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા(ઈ. સ. પુર્વ 547-486)  હતા.રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ. સ.પુર્વ 5મી સદીમાં થાયા તે સાચુ છે. "જીનવીજય" નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ  ઇ. સ. પુર્વ 5મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ. સ. પુર્વ. 5મી સદીમાં બતાવે છે.વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.

ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.

ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.

ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.

શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.

સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.

શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.

હવે, સંન્યાસી તૃતીય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થાય છે, જયાં સકળ સાધનાના સારરૂપ, સર્વ મંત્રના હાર્દરૂપ ઓમ્કાર (ૐ) ના નાદની સાધના કરવામાં આવે છે. આ જપ અને મંત્ર અંતત: ઘ્યાનમાં પરિણમે છે અને આ સંન્યાસી ઘ્યાનસ્થ થઇ જાય છે, જેને ‘હંસ’ કહેવામાં આવે છે. જયારે સંયમી આ કક્ષાએ પહોંચે છે ત્યારે, તે વેદાન્તગ્રંથોને સમજવા માટે પૂર્ણત: પરિપકવ બની ગયો હોય છે અને તેથી ‘પરમહંસ’ બની જાય છે.

યોગનાં સર્વ રૂપો અને સાધનાના પ્રભાવથી સુવ્યવસ્થિત થયેલો આવો સાધુ માત્ર વેદાન્તગ્રંથોનું અઘ્યયન કરવારૂપી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને આવા નિવૃત્ત પરમહંસ અંતે જીવન્મુકત જ્ઞાની બની રહે છે. સંન્યાસના આ ચતુર્વિધ ચરણોને વિવિદિષા સંન્યાસ કહે છે, જયારે વિદ્વત સંન્યાસ પણ હોય છે, જે માત્ર જ્ઞાનનિષ્ઠા માટે ધાર કરવામાં આવે છે અને અવધૂત મુકત રીતે અનંત જીવનમાં રમણ કરે છે.

આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે :

૧. ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તરાખંડ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે. केदार नाथ

૨. 'પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.

૩. 'દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શ્રુંગેરી (કર્ણાટક)માં સ્થિત છે. શ્રુંગેરી શારદાપીઠમ્‌ તરીકે ઓળખાય છે.

૪. ‘પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે. द्वारिकाधीस

શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.

કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.

આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ -૫ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. એક પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" -લેખક ઇન્દ્રવદન બી. રાવલ દ્વારા લખાયેલ છે. ગુજરાતી ભાષામાં શંકરાચાર્ય વિશેનું આવુ જૂજ એવું લખાયેલ પુસ્તક છે. લેખક પોતે સંસ્કૃતના અધ્યાપક હતા. (જન્મ : ૨૪-૦૯-૧૯૩૭ અવસાન : ૧૭-૧૧-૨૦૧૭) વેરાવળની સોમનાથ કોલેજમાં ૪૦ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. આ પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી,અધ્યાપક માટે તો વાચવા લાયક છે.

Comments

Popular posts from this blog

વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય

 ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી રાજ્યમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાંથી પસાર થતાં વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ખેડૂતોના વિરોધ સામે હવે સરકાર ઝૂકી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 'વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.' જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત ગુજરાત સરકારે વીજ ટાવર અને લાઇન પસાર થવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ આ નિર્ણય પાછળ ખેડૂત સંગઠનોના લાંબા સમયના આક્રોશ અને આગામી રાજકીય ગણતરીઓ છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ નિર્ણય સરકારે પોતાની અગાઉની અન્યાયી નીતિઓનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત કરે છે. વર્ષોથી જંત્ર...

JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે

  The Jamnagar Janmarg Foundation (JJMF) operates the city bus service in Jamnagar in partnership with the Jamnagar Municipal Corporation. The service includes a modernized fleet of electric buses aimed at providing eco-friendly and convenient public transportation across the city. Operating Hours: Buses generally run from 06:30 AM to 09:30 PM, with specific frequencies varying between 60 to 90 minutes depending on the route. બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Official App: You can easily track real-time bus locations, check route timetables, and purchase tickets directly through the JJMF – Apps on Google Play mobile app. PM E Bus service  JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે.બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Android: https://shorturl.at/wbJTF IOS: https://shorturl.at/DyMKn   Jamnagar Municipal Corporation

Kakanmath Temple ककनमठ मंदिर

 મધ્યપ્રદેશના મોરેના (Morena) જિલ્લામાં સિહોનિયા ગામ નજીક આવેલું **કકનમઠ મંદિર (Kakanmath Temple)** ભારતનાં સૌથી રહસ્યમય, ભયાનક અને અદભુત મંદિરોમાંનું એક છે. આ મંદિરને જોતાં જ એવું લાગે છે કે તે હમણાં જ પડી જશે, પરંતુ તે સદીઓથી તમામ વાવાઝોડાં અને ભૂકંપો સામે અડીખમ ઊભું છે. નીચે આ રહસ્યમય મંદિરનો ઇતિહાસ અને તેની વિગતો આપવામાં આવી છે: 1. કકનમઠ મંદિરનો ઇતિહાસ (History)  નિર્માણ કાળ:આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં (આશરે ઇ.સ. 1015 થી 1035 દરમિયાન) થયું હતું.  શાસક:કછવાહા (Kachchhapaghata) રાજવંશના રાજા **કીર્તિરાજ** દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.  * **નામકરણ:** રાજા કીર્તિરાજની રાણીનું નામ **'કકનવતી'** હતું, જેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાણીની ઈચ્છા પૂરી કરવા માટે રાજાએ આ મંદિર બંધાવ્યું હતું, તેથી રાણીના નામ પરથી આ મંદિરનું નામ 'કકનમઠ' પડ્યું.  * **દેવતા:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેના ગર્ભગૃહમાં આજે પણ એક મોટું શિવલિંગ સ્થાપિત છે. 2. અદભુત સ્થાપત્ય અને રહસ્ય (The Architectural Mystery) કકનમઠ મંદિર તેની અનોખી બનાવટ અને રહસ્યમય ભૌમિતિક સં...

New Traffic Rules : 1 જ વર્ષમાં 5 E Challan આવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ થશે સસ્પેન્ડ, કેન્દ્ર સરકારનો નવો નિયમ

 Traffic Rules Change: ભારત સરકારના (Government of India) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં (Central Motor Vehicles Rules) અત્યંત મહત્વપૂર્ણ અને કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાકીય ફેરફારો અનુસાર, ઈ-ચલણ (E-Challan) અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, દંડની રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) સસ્પેન્શન અંગેની જોગવાઈઓ હવે પહેલાં કરતાં વધુ કડક અને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ગુજરાત સરકારના (Government of Gujarat) વાહનવ્યવહાર વિભાગ દ્વારા પણ રાજ્યના નાગરિકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ફરિયાદ માટે 45 દિવસની સમયમર્યાદા અને આપોઆપ સ્વીકૃતિ નવા નિયમોની મુખ્ય વિગતો અનુસાર, જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ (E-Challan) સામે કોઈ વાંધો, ટેકનિકલ ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં સત્તાવાર 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની રહેશે. જો આ 45 દિવસમાં ...

એકતા • સેવા • સમર્પણ : સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે,

 આ પંક્તિઓ ખૂબ જ ઊંડી, પ્રેરણાદાયી અને સમાજ માટે અરીસો બતાવનારી છે. ​સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે, તે આ ચાર લીટીઓમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે: ​લડો સમાજ માટે: જો તમારામાં અન્યાય સામે લડવાની તાકાત હોય, તો આગળ આવીને લડો. ​લડી ના શકો તો બોલો: જો કોઈ કારણસર મેદાનમાં આવીને લડી ન શકો, તો અન્યાય સામે અવાજ ઉઠાવો, તમારો વિરોધ નોંધાવો. ​બોલી ના શકો તો લખો: જો અવાજ ઉઠાવવામાં પણ સંકોચ કે ડર હોય, તો તમારી કલમ ઉપાડો. લખાણ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ​હિંમત ના તોડો: અને જો તમે આ ત્રણેય વસ્તુ કરવા સક્ષમ નથી, તો કંઈ નહીં... પણ જે લોકો સમાજ સુધારવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે કે લખી રહ્યા છે, તેમની હિંમત ક્યારેય ન તોડો. તેમનો પગ ખેંચવાને બદલે તેમને સાથ આપો અથવા મૌન રહીને પણ તેમનું મનોબળ વધારો. ​એકતા, સેવા અને સમર્પણની ભાવના સાથેનો આ સંદેશ ખરેખર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. ખૂબ જ સુંદર વિચાર!

જ્યારે મહમૂદ ગઝનવીએ શ્રી કૃષ્ણનું જન્મસ્થળ તોડી નાખ્યું હતું,

 ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની જેમ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર પણ આક્રમણકારી મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો. આ મંદિરને પણ લૂંટી લીધું હતું. આ મંદિર ત્રણ વખત તૂટી ગયું છે અને ચાર વખત નિર્માણ થયું છે. હજી પણ આ સ્થળની માલિકી માટે બે પક્ષોમાં કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. જાણો કૃષ્ણ જન્માષ્ટમી પર જન્મ ઇતિહાસ… કૃષ્ણનો જ્યાં જન્મ થયો છે, તે પાંચ હજાર વર્ષ પહેલાં મલ્લપુરા ક્ષેત્રના કટરા કેશવ દેવમાં રાજા કામસાની જેલ હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ જેલમાં રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. ઇતિહાસકાર ડો. વાસુદેવ શરણ અગ્રવાલે કટરા કેશવદેવને કૃષ્ણનું જન્મસ્થળ માન્યું છે. વિવિધ અધ્યયન અને પુરાવાઓના આધારે, મથુરાના રાજકીય સંગ્રહાલયના બીજા કૃષ્ણદત્ત વાજપેયીએ પણ સ્વીકાર્યું કે કટરા કેશવદેવ એ કૃષ્ણનું સાચું જન્મસ્થળ છે. ઇતિહાસકારોના મતે, સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવેલા આ ભવ્ય મંદિર પર 1017 એ.ડી.માં મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવ્યા બાદ તૂટી પડ્યો હતો. કૃષ્ણના મહાન પૌત્ર બજરનાભે પહેલું મંદિર બનાવ્યું : લોકપ્રિય માન્યતા અનુસાર, જેલની નજીકની પ્રથમ ...

Mamallapuram, Tamil Nadu

 તામિલનાડુમાં ચેન્નાઈથી લગભગ 60 કિમી દૂર બંગાળની ખાડીના કિનારે આવેલું મામલ્લાપુરમ (જે મહાબલીપુરમ તરીકે પણ ઓળખાય છે) તેના અદભુત દરિયાકાંઠાના મંદિરો, પથ્થરોમાંથી કોતરેલી ગુફાઓ અને પલ્લવ રાજવંશના સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ​ઇલોરાના કૈલાશ મંદિરની જેમ જ, આ સ્થળ પણ પ્રાચીન ભારતીય શિલ્પકળાનો સુવર્ણ ઇતિહાસ દર્શાવે છે. અહીં મામલ્લાપુરમનો ઇતિહાસ અને તેની મુખ્ય વિશેષતાઓ વિગતે આપવામાં આવી છે: ​1. મામલ્લાપુરમનો ઇતિહાસ (History) ​નિર્માણ કાળ: આ ઐતિહાસિક નગર અને તેના મંદિરોનું નિર્માણ 7મી અને 8મી સદી દરમિયાન થયું હતું. ​શાસક: આ સ્થાપત્યોનું નિર્માણ દક્ષિણ ભારતના શક્તિશાળી પલ્લવ રાજવંશ (Pallava Dynasty) ના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજા નરસિંહવર્મન પ્રથમ (જેઓ પોતાની યુદ્ધકળાના કારણે 'મામલ્લ' એટલે કે મહાન યોદ્ધા તરીકે ઓળખાતા) અને રાજા નરસિંહવર્મન દ્વિતીય (રાજસિંહ) ના સમયમાં આ કાર્ય થયું. ​મહત્વ: પલ્લવ શાસન દરમિયાન મામલ્લાપુરમ એક વ્યસ્ત અને સમૃદ્ધ બંદર (Port City) હતું, જ્યાંથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર થતો હતો. ​2. મુખ્ય જોવાલાયક સ્થળો અને સ્થાપત્ય ​મામલ્...

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર, 98 % કામ પૂર્ણ, જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા....... આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવશે અને ભગવાન શ્રીરામે કરેલો વનવાસ અર્બન ફોરેસ્ટમાં આકાર લઇ વિકસાવવામાં આવશે. 55 હજાર વૃક્ષથી ઘેઘૂર જંગલ બની રહ્યું છે. રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળશે આ અંગે રાજકોટ મહાનગપાલિકાના ગાર્ડન શાખાના અધિકારી કે.પી. હાપલિયાએ જણાવ્યું હતું કે રાજકોટના આજીડેમ પાસે નિર્માણ થઇ રહેલા રામવનનું દિવાળી બાદ મોટા ભાગનું કામ પૂર્ણ થઇ જશે, જેથી આગામી માર્ચ મહિનામાં રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળી જાય એ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મિની જંગલને તંત્ર દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે, જેનું 60 ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે. રામવન ખાતે વિવિધ કામગીરી અને નવાગામ સી.સી. રોડની ચાલુ કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનરશ્રી @arora2k21 : જુદાજુદા કામે નિમાયેલ એજન્સી સાથે કામગીરી અંગે મ્યુનિ. કમિશનરશ્રીએ રીવ્યુ બેઠક કરી: ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સુચ...

जिस बुजुर्ग को मामूली समझकर टिकट फाड़़ दी गई. उसी ने एक कॉल मेंपूरी एयरलाइंस बंद करवा दी ।

 सर्दियों की सुबह थी। दिल्ली एयरपोर्ट की भीड़ अपने चरम पर थी। बिजनेस ट्रैवलर्स लैपटॉप लेकर भाग रहे थे। परिवार छुट्टियों पर जाने को तैयार थे और हर तरफ चकाचौंध थी। इसी भीड़ में एक बुजुर्ग व्यक्ति धीरे-धीरे चलते हुए एयरलाइंस के काउंटर तक पहुंचे। उनका पहनावा सादा था। सफेद कुर्ता पाजामा, ऊपर एक पुराना भूरे रंग का स्वेटर, और पैरों में फटी सी चप्पल। हाथ में एक प्लास्टिक कवर में रखी हुई प्रिंटेड टिकट थी। शायद कहीं से किसी ने निकाल कर दी हो। उनके चेहरे पर शांति थी। लेकिन आंखों में एक थकान भी जैसे कोई लंबा सफर तय करके आया हो। और अब केवल कंफर्म सीट का आश्वासन चाहिए। उन्होंने काउंटर पर खड़ी लड़की से बड़े विनम्र स्वर में पूछा। बिटिया यह मेरी टिकट है। सीट कंफर्म है क्या? मुझे जयपुर जाना है। लड़की ने एक नजर उन्हें ऊपर से नीचे तक देखा। फिर मुंह बनाया और बोली, "अंकल, यह रेलवे स्टेशन नहीं है। यहां बोर्डिंग ऐसे नहीं मिलती। पहले ऑनलाइन चेक इन करना पड़ता है। बुजुर्ग थोड़ा घबरा गए। मुझे नहीं आता बेटा। यह सब बस आप एक बार देख लो। प्लीज। मेरी बहू अस्पताल में है। पास खड़ा एक और कर्मचारी हंसते हुए बोला। अरे...

નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે.  તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.  બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું. મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહી...