Skip to main content

વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા

 



¶¶ વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા ¶¶

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બની એક ક્ષત્રિય વિરમદેવ ચૌહાણના પ્રેમ મા.

અજાણ્યો ઉજાગર ઈતિહાસ....

આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે ભણ્યા પણ હતાં. આ પ્રબંધ એ ચારણો દ્વારા રચાતી એક પ્રકારની વીર પ્રશસ્તિ છે. જે બનેલી ઘટનાઓ અને રચાયેલા ઇતિહાસનું વર્ણન કરે છે.

જે આજે એક ઐતિહાસિક પુરાવો બની ગયું છે,

 જેને ક્યારેય ઉવેખી શકાય જ નહીં !!!

આ વીર પ્રશસ્તિ એમાં કાવ્યાત્મકતા છે એટલે જ એ આજે સાહિત્ય રસિક જનોમાં પ્રિય છે અને એને વિષે ભણાવાય પણ છે ખરું. આ હિન્દી ભાષામાં છે !!! પણ આપણે એ ભૂલી જ ગયાં કે પદ્મનાભ કર્ણ દ્વારા રચીત ઉત્તમ મહાકાવ્ય પ્રકારનું એક કાવ્ય “કાન્હ્ડદે પ્રબંધ” ઇસવીસન ૧૪૫૫માં રચાયું હતું !!!

આ “કાન્હ્ડદે પ્રબંધ”માં રાજસ્થાનના રાજા કાન્હ્ડ દેવ દ્વારા  કરાયેલાં વિજયનો ની ગાથા છે. એમાં એક વિજય અલાઉદ્દીન ખીલજી પરનો છે. જોકે પછી અલ્લાઉદ્દીન ખિલજીદ્વારા કરાયેલાં આક્રમણમાં કાન્હ્ડ દેવે એંના એક વીર પુત્ર સેનાપતિ વીર વિરમદેવને મોકલ્યો અને હાર્યો અને માર્યો  ગયો અને જાલૌર હાર્યું. પણ આ વિરમદેવની યશોગાથા અને એની એક પ્રેમ ગાથા પણ છે. એ ખાસ જ જાણવા જેવી છે !!!!! આ વાત “કાન્હ્ડદે પ્રબંધ”માં આવે છે. 

અંગ્રેજીમાં એક  મુહાવરો છે

” History Repaets It Self ”

આ વાત ક્રૂર અને લુંટારા અલાઉદ્દીન ખીલજી માટે બિલકુલ સાચી પડે છે. જેવું કરો એવું પામો. જેને કોઈ ના પહોંચે એને પોતાનું જ પેટ પહોંચે !!! એવું કૈક અલાઉદ્દીન ખિલજી સાથે પણ બન્યું હતું. એ વાત કઈ છે તે હવે જાણીએ !!!!

આપણે સૌ અત્યારેજ નહિ પણ પહેલેથી જ જાણીએ છીએ “જૌહર” પ્રથા વિષે. આપને એ પણ જાણીએ છીએ કે આ જુહાર પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો તે આ નપાવટ અલ્લાઉદ્દીન ખિલજીની ક્રુરતા અને છળને કારણે, પણ આજ પ્રથા એને ખુદને માટે ઘાતક સાબિત થઇ હતી !!!

એ વાત જ આપણને ખબર નથી, એ જ વાત મારે તમને કરવી છે !!!!

આ ઇતિહાસમાં એક કિસ્સો એવો પણ છે કે જેનાથી અલ્લાઉદ્દીન ખિલજીની નીંદ હરામ થઇ ગઈ હતી. અલ્લાઉદ્દીન ખિલજીને ભારતનો સૌથી ક્રૂર અને નૃશંસ મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે. જેનાથી ભારતના ઘણાં રાજ્યોમાં માત્ર લુંટફાટ અને નરસંહાર કર્યા કંઈ કેટલાય મંદિરોનો ધ્વંસ કર્યો !!!

 અલ્લાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નૃશંસ અભિયાન ગુજરાતનું માનવામાં આવે છે. જેમાં એણે સોમનાથના મંદિરને લૂંટીને સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. 

પરંતુ અલ્લાઉદ્દીન ખિલજીની રાતોની નીંદ ત્યારે જ ગાયબ થઇ. જયારે એને ખબર પડી કે એની જ દિકરી ફિરોઝા એક રાજપૂત યોદ્ધા મહારાજ કાન્હ્ડ દેવનાં પુત્ર વિરમદેવને પ્રેમ કરતી હતી !!! 

એટલા માટે અલ્લાઉદ્દીન ખિલજીએ કાન્હ્ડ દેવનાં રાજ્યને નષ્ટ કરવાની યોજના બનાવી. ફિરોઝા -વિરરમદેવની પ્રેમ કથાનો આરંભ પોતાના ગુજરાત અભિયાનમાં સોમનાથનાં મંદિરને ધ્વસ્ત કર્યા પછી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌર રાજ્યમાંથી જઈ રહી હતી. જ્યાં રાજા કાન્હ્ડદેવનું શાસન હતું ……….

જલૌરની સેનાએ મુસ્લિમ સેના પર સીધેસીધું જ આક્રમણ કરી દીધું અને અલ્લાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ એનાં પછી સુલતાને સંધિ કરવા માટે કાન્હ્ડદેવને દિલ્હી આવાનું નિમંત્રણ મોકલ્યું !!!

રાજા કાન્હ્ડ દેવે પોતાના પુત્ર વિરમદેવને દિલ્હી મોકલ્યો જ્યાં એની મુલાકાત અલ્લાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા સાથે થઇ. વિરમદેવને જોઇને જ ફિરોજા એના પર ફિદા થઇ ગઈ અને મનોમન એને પ્રેમ કરવાં લાગી. 

¶____ફિરોજાનો વિવાહ પ્રસ્તાવ____¶

રાજકુમારી ફિરોજા એટલી હદ સુદીધી વિરમદેવ પર ફિદા થઇ ગઈ હતી કે એ મનોમન જ એને જ પોતાનો પતિ માનવા લાગી ગઈ હતી !!! વિરમદેવનું તે વખતે દિલ્હી દરબારમાં આવવાં-જવાંનું વધારે થતું હતું !!! એટલાંમાટે ફીરોજાએ વિરમદેવ સામે વિવાહનો પ્રસ્તાવ મુકાયો, પણ વિરમદેવ રાજપૂત હતાં અને ફિરોજા મુસલમાન, તેમ છતાં પણ શહઝાદીએ કોઈ પણ કિંમત પર વિરમ દેવ જોડે વિવાહ કરવાનો અને તેને અપનાવવાની જીદ પકડી હતી !!!!

શહઝાદીએ કહ્યું  :

” વર કરું તો વિરમદેવ , ના તો રહુંગી અક્ન કુંવારી ”

શહજાદીની હઠ સંભાળીને દિલ્હી દરબારમાં કોહરામ મચી ગયો, ઘણો વિચાર કર્યા પછી પોતાનાં રાજનૈતિક ફાયદાઓ જોઇને બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી એને માટે તૈયાર થયાં. 

અને લગ્નનો પ્રસ્તાવ જાલૌર દુર્ગ પહોંચાડવામાં આવ્યો !!!

વિરામદેવનો ઐતિહાસિક ઉત્તર  :

વિરમદેવે જયારે અલ્લાઉદ્દીન ખિલજીનો આ પત્ર વાંચ્યો તો કહ્યું:

¶¶ મામા લાજૈ ભાટીયા, કુળ લાજૈ ચૌહાણ,

જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાન ¶¶

( મતલબ મારાં મામા ભાટીવંશના છે તો હું ખુદ ચૌહાણ એક તુર્કન સાથે કેવી રીતે લગ્ન કરું તો તો મારો વાંસ અપવિત્ર થઇ જશે, આ ત્યારેજ સંભવ થશે જયારે સુરજ પશ્ચિમમાં ઉગશે !!!)

  આ સાંભળીને ખિલજી આગબબુલા થઇ ગયો અને દિલ્હી પહોંચતા જ જાલૌરની વિરુદ્ધ યુદ્ધની ઘોષના કરી દીધી. 

¶__અલ્લાઉદ્દીન ખિલજીનું જાલૌર પર આક્રમણ__¶

અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હી પાછાં ફરતાં જ એક વિશાળ સેના લઈને જાલૌરના કિલ્લાની ઘેરાબંધી કરી. અલ્લાઉદ્દીન ખિલજી આ પહેલાજ સોમનાથનાં યુદ્ધ પછી જાલૌરનું યુદ્ધ હારી ચુક્યો હતો. ત્યારે એણે સોમનાથ મંદિર ની લૂંટનો બધોજ માલ અને શિવલિંગ પણ પાછું આપી ચુક્યો હતો એટલે જ એને જાલૌરના રાજા કાન્હ્ડ દેવજોડે બદલો લેવાનું નિશ્ચિત કરી જ લીધું હતું !!!!

એક વર્ષ સુધી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌરને ઘેરો ઘાલીને બેસી રહી. જોકે આ વાતનું ઐતિહાસિક પ્રમાણ નથી આ ખાલી વાર્તા ને મહાકાવ્યમાં જ છે. કારણકે વિશ્વવિક્રમી ઘેર્રો તો રણથંભોરનો હતો એ હું અગાઉ જણાવી જ ચુક્યો છું, પણ આખરે તો આ પ્રશસ્તિ જ ને !!! એમાં થોડીક તો અતિશયોક્તિ હોય હોય અને હોય જ !!!! પણ મહદાશિક  તથ્ય અને સત્ય તો છે જ !!! પણ સમયમાં થાપ ગઈ ગયા છે આ લખનાર !!!! પણ આ યોજના અસફળ રહી તો એક્દાહિયા રાજપૂતને લાલચ આપીને કિલ્લામાં ઘૂસવાનું ષડયંત્ર રચ્યું. કિલ્લામાં ગુપ્ત માર્ગમાંથી ઘુસવા લાગી તો રાજપૂતોએ પણ સામનો કરીને સાક્કા(રણભૂમિમાં બલિદાન) કરવાનો નિશ્ચય મનોમન કરીજ લીધો !!!

¶____પ્રેમમાં સતી થઇ ફિરોજા____¶

માત્ર ૨૨ વર્ષીય યોદ્ધારાજકુમાર વિરમદેવ ભગવા બાના પહેરીને યુદ્ધભૂમિમાં કુદી પડયા અને અલ્લાઉદ્દીન ખિલજીની સેનામાં ભાગદોડ મચી ગઈ. અલ્લાઉદ્દીન ખિલજીની એકા લાખની ફોજ સામે ૧૫ હજાર રાજપૂત પૂરી શક્તિથી લડતા રહ્યાં, પણ અંતે તેઓ હારી ગયાં!!! અને વિરમદેવને પકડીને એનું માથું કાપી નાંખ્યું. 

આ આખીય ઘટનાનો અંત હજી તો બાકી છે, પણ આ વાતને ઇતિહાસમાં જેટલું સ્થાન મળવું જોઈએ તેટલું મળ્યું જ નથી. આવી તો અનેક ઘટનાઓ છે જે ઇતિહાસમાં દફન થઇ ગઈ છે અને એને વિષે કોઈએ કીધુ જ નથી. પણ આખી ઘટના બેહદ રોમાંચક અને લોકોમાં ઉત્સાહ પ્રેરનારી છે. એની થીડીક વિગતો આપું છું. 

જાલૌર નાં વીર કાન્હડ દવ સોનગરાનાં પુત્ર વિરમદેવનું રાજસ્થાનનાં ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે !!!!

વિક્રમ સંવત ૧૩૫૫, ઇસવીસન ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગુ ખાં અને નાસરત ખાંએ ગુજરાત વિજય અભિયાન માટે જાલૌરના કાન્હડ દેવ પાસે રસ્તો માંગ્યો પરંતુ કાન્હડ દેવે આક્રમણકર્તાઓ અને લૂંટારુંઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગી નાં આપી. અત: અલ્લાઉદ્દીન ખિલજીની સેના અન્ય રસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટફાટ કરી !!!!

પાછાં ફરતી સમયે અલ્લાઉદ્દીન ખિલજીની સેના પર કાન્હડ દેવે આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ એ સમયે અલ્લાઉદ્દીન ખિલજીનું ધ્યાન રણથંભોર અને ચિત્તોડ વિજયની તરફ વધારે હતું. અત : એને જીતીને ખિલજી વિક્રમ સંવત ૧૩૬૨ ઇસવીસન ૧૩૦૪ માં એને ઉલમુલક સુલતાન સાથે સેના જાલૌર મોકલી. અલ્લાઉદ્દીન ખિલજી ના સેનાનાયકે આદરપૂર્વક સંધીનું આશ્વાસન આપીને કાન્હડ દેવને દિલ્હી મોકલી દીધો !!!! અને ત્યાર પછી એમના પુત્ર વિરમદેવ દિલ્હી રહેવાં લાગ્યાં!!!

અહીંથી જ શરુ થાય છે વિરમદેવ અને પ્રેમની દાસ્તાન

કાન્હ્ડદેવનો પુત્ર વીરમદેવ એક સુડોળ શરીરનો તેજવાન રાજવંશી હતો !!!

§~~એમની વીરતા માટે એક દોહા પ્રસિદ્ધ છે~~§

¶¶ સોનગરા બંકો ક્ષત્રિય, અણરો જોશ અપાર ।

ઝેલે કુણ અણ જગતમે વીરમ રી તલવાર ¶¶

દિલ્હી દરબારમાં રહેવાં દરમિયાન ત્યાની એક શહજાદી ફિરોજાને એમની સાથે પ્રેમ થઇ ગયો, જો કે એ સમયે આવી રીતના રાજાનૈતિક વિવાહ સંબંધ પ્રચલનમાં નહોતાં. 

એટલા માટે ફિરોજા અને વીરમદેવ નો વિવાહ સંબંધ નાં થઇ શક્યો. પરંતુ ફિરોજાનો પ્રેમ વીરમદેવ પ્રત્યે ખુબ જ વધી ગયો, એ મનોમન જ વીરમદેવને એનો પતિ માની ચુકી હતી.. 

અહીં વીરમદેવે સામાજિક અને કુળની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ફિરોજા સાથે વિવાહનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો અને આ કારને જ યુદ્ધની સંભાવના વધી ગઈ !!!!

પછી અલ્લાઉદ્દીન ખિલજીએ જાલૌર પર આક્રમણ કરવા માટે ૫ વર્ષ સુધી કઈ કેટલીય સૈન્ય ટુકડીઓ મોકલી, પરંતુ સફળતા નાં જ મળી શકી અને છેવટે ઇસવીસન ૧૩૧૦મ સ્વયં ખિલજીએક બહુજ મોટી સેના લઈને જાલૌર આવવા રવાના થયો અને પહેલાં એણે સિવાના પર આક્રમણ કર્યું અને એક વિશ્વાસઘાતી ની મદદથી સિવાનાના દુર્ગના સુરક્ષિત જલ ભંડારમાં ગૌ રક્ત અને માંસ નાખવી દીધું જેનાથી પીવાનું પાણી દુષિત થઇ ગયું !!! એટલા માટે સિવાનાનાં શાસક સાતલદેવે અંતિમ યુદ્ધની ઘોષણા કરીને કેસરિયા બાના પહેરી લીધાં. જેમાં રાણીઓએ અને અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું અને સાતલદેવ આદિ વીર શાકા કરીને અંતિમ યુદ્ધમાં વીરગતિ પામ્યાં!!!!

એનાં પછી તરતજ ખિલજીએ પોતાની સેનાનાને આક્રમણનો હુકમ આપી દઈને એ પોતે દિલ્હી આવતો રહ્યો. એમની સેનાએ મારવાડમાં લૂંટફાટ ખુબ કરી અને ઘણાં અત્યાચાર પણ કર્યા. સાંચોરનાં પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણાં મંદિરોને ખંડિત કર્યા …… પછી કાન્હડદેવે કેટલીક જગ્યાએ ખિલજી સેના પર આક્રમણ કર્યું અને ને હરાવ્યો અને બંને વચ્ચે ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલતું રહ્યું.

આખરે ખીલજીએ જાલૌરમાં તે સેનાપતિ ક્માંલુદ્દીનને વિશાલ સૈન્ય દલ સાથે જાલૌર મોકલી આપ્યો પછી સેનાપતિએ જાલૌર દુર્ગની ચારે તરફ બહુજ મોટો ઘેરો ઘાલીને યુદ્ધ કર્યું, પરંતુ તે જાલૌર નાં જીતી શક્યો અને પોતાની સેનાને પાછો લઇ જવા લાગ્યો. ત્યારે જ કાન્હડ દેવાના એક સરદાર વિકાએ જાલૌર થી પાછી ફરી રહેલી સેનાને દુર્ગનાં ગુપ્ત અને ખુલતા રસ્તાઓનું રહસ્ય બતાવી દીધું. વિકાનાં એ વિશ્વાસઘાતને કારણે વિકાની પત્નીએ વિકાને ઝેર આપીને મારી નાંખ્યો. આ રીતે વિશ્વાસ્ઘાતીને કારણે જાલૌર પર ખિલજીની સેનાનો કબજો થઇ ગયો.

વિક્રમ સંવત ૧૩૬૮માં કાન્હડ દેવે વિરમદેવને ગાદી પર બેસાડ્યો અને અંતિમ યુદ્ધ કર્યું. જાલૌર દુર્ગમાં રાણીઓ સિવાય અન્ય સ્ત્રીઓએ પણ જૌહર કર્યું અને કાન્હડ દેવ શાકા કરતાં કરતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં.

વીરમદેવે પોતાનાં શાસનકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષ યુદ્ધમાં વિતાવ્યા અને પછી વીરમદેવે પણ કેસરિયા બાના પહેરીને અંતિમ યુદ્ધ લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં તથા દુર્ગની મહિલાઓએ જૌહર કરી લીધું. વીરમદેવની વીરગતિ પામ્યાં પછી શાહજાદી ફિરોજાની સનાવર નામની ધાય (દાસી)પણ યુધ્દમાં સેના સાથે આવી હતી. એ વીરમદેનું મસ્તક કાપીને એને સુગંધિત પદાર્થોમાં રાખીને દિલ્હી લઇ ગઈ અને એમ કહેવાય છે કે, 

¶¶ વીરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોજાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું, ¶¶ ત્યારે વ્યથીત શહજાદી ફિરોજાએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.

¶¶ તજ તુરકાણી ચાલ હિંદુ આણીહુઈ હંમે  |

ભો -ભો રા ભરતાર, શીશ ન ધુણ સોનીગરા|| ¶¶

ફીરોજાએ એમનાં માસ્કનો અગ્નિ સંસ્કાર કર્યો અને સ્વયં માં થી આજ્ઞા પામીને યમુના નદીનાં જળમાં પ્રવિષ્ટ થઇ ગઈ!!!!

શહજાદી પોતાનાં પર્ણ પર અડિગ હતી એ વિરમદેની રાખને અસ્થી લઈને યમુના નદીમાં કુદીને સતી થઇ ગઈ.

એક તુર્ક મુસ્લિમ રાજકુમારી એક હિંદુ રાજકુમાર માટે એટલી પાગલ હતી કે એને યમુનામાં કુદીને પોતાની જાન આપી દીધી અને વીરમદેવની સાથે સતી થઇ ગઈ !!!!

(કાન્હડદે પ્રબંધ તથા નાય સંદર્ભ પુસ્તકો અને જન માનસમાંથી સાભાર )

જે ક્રૂર અને ઘાતકી તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં “જૌહર “થયાં હતાં. એ જ કારણ ભૂત હતો આ બધાની પાછળ, પણ જયારે એજ વાત બુમરેંગ બનીને એના જ ઘરમાં આવી ત્યારે

એને ખબર પડી હશે જ ને કે સતી થવું કેટલું વેદનાદાયક હોય છે ?

જૌહર એ રાજપુતાણીઓ માટે લગ્ન જેવો અવસર છે, જેમાં તે ક્યારેય પાછી પાણી કરતાં અચકાતી નહોતી. આજ વાત જયારે એક મુસ્લિમ કન્યાએ સાબિત કરી, ત્યારે ભારતીય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ ખામોશ છે !!!

મહારાજા ભોજ

Comments

Popular posts from this blog

વીજ ટાવર-લાઈનના જમીન વળતરમાં વધારો:હવે ખેડૂતોને બજારભાવના બમણા દરે મળશે સહાય, જંત્રી આધારિત વળતરનો અંત, રાજ્ય સરકારનો નિર્ણય

 ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી રાજ્યમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાંથી પસાર થતાં વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ખેડૂતોના વિરોધ સામે હવે સરકાર ઝૂકી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 'વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.' જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત ગુજરાત સરકારે વીજ ટાવર અને લાઇન પસાર થવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ આ નિર્ણય પાછળ ખેડૂત સંગઠનોના લાંબા સમયના આક્રોશ અને આગામી રાજકીય ગણતરીઓ છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ નિર્ણય સરકારે પોતાની અગાઉની અન્યાયી નીતિઓનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત કરે છે. વર્ષોથી જંત્ર...

JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે

  The Jamnagar Janmarg Foundation (JJMF) operates the city bus service in Jamnagar in partnership with the Jamnagar Municipal Corporation. The service includes a modernized fleet of electric buses aimed at providing eco-friendly and convenient public transportation across the city. Operating Hours: Buses generally run from 06:30 AM to 09:30 PM, with specific frequencies varying between 60 to 90 minutes depending on the route. બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Official App: You can easily track real-time bus locations, check route timetables, and purchase tickets directly through the JJMF – Apps on Google Play mobile app. PM E Bus service  JMC સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરી છે.બસના રૂટ,સમયપત્રક માટે ડાઉનલોડ કરો. Android: https://shorturl.at/wbJTF IOS: https://shorturl.at/DyMKn   Jamnagar Municipal Corporation

Kakanmath Temple ककनमठ मंदिर

 મધ્યપ્રદેશના મોરેના (Morena) જિલ્લામાં સિહોનિયા ગામ નજીક આવેલું **કકનમઠ મંદિર (Kakanmath Temple)** ભારતનાં સૌથી રહસ્યમય, ભયાનક અને અદભુત મંદિરોમાંનું એક છે. આ મંદિરને જોતાં જ એવું લાગે છે કે તે હમણાં જ પડી જશે, પરંતુ તે સદીઓથી તમામ વાવાઝોડાં અને ભૂકંપો સામે અડીખમ ઊભું છે. નીચે આ રહસ્યમય મંદિરનો ઇતિહાસ અને તેની વિગતો આપવામાં આવી છે: 1. કકનમઠ મંદિરનો ઇતિહાસ (History)  નિર્માણ કાળ:આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં (આશરે ઇ.સ. 1015 થી 1035 દરમિયાન) થયું હતું.  શાસક:કછવાહા (Kachchhapaghata) રાજવંશના રાજા **કીર્તિરાજ** દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.  * **નામકરણ:** રાજા કીર્તિરાજની રાણીનું નામ **'કકનવતી'** હતું, જેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. રાણીની ઈચ્છા પૂરી કરવા માટે રાજાએ આ મંદિર બંધાવ્યું હતું, તેથી રાણીના નામ પરથી આ મંદિરનું નામ 'કકનમઠ' પડ્યું.  * **દેવતા:** આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેના ગર્ભગૃહમાં આજે પણ એક મોટું શિવલિંગ સ્થાપિત છે. 2. અદભુત સ્થાપત્ય અને રહસ્ય (The Architectural Mystery) કકનમઠ મંદિર તેની અનોખી બનાવટ અને રહસ્યમય ભૌમિતિક સં...

New Traffic Rules : 1 જ વર્ષમાં 5 E Challan આવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ થશે સસ્પેન્ડ, કેન્દ્ર સરકારનો નવો નિયમ

 Traffic Rules Change: ભારત સરકારના (Government of India) રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં (Central Motor Vehicles Rules) અત્યંત મહત્વપૂર્ણ અને કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાકીય ફેરફારો અનુસાર, ઈ-ચલણ (E-Challan) અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, દંડની રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving Licence) સસ્પેન્શન અંગેની જોગવાઈઓ હવે પહેલાં કરતાં વધુ કડક અને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ગુજરાત સરકારના (Government of Gujarat) વાહનવ્યવહાર વિભાગ દ્વારા પણ રાજ્યના નાગરિકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ફરિયાદ માટે 45 દિવસની સમયમર્યાદા અને આપોઆપ સ્વીકૃતિ નવા નિયમોની મુખ્ય વિગતો અનુસાર, જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ (E-Challan) સામે કોઈ વાંધો, ટેકનિકલ ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં સત્તાવાર 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની રહેશે. જો આ 45 દિવસમાં ...

એકતા • સેવા • સમર્પણ : સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે,

 આ પંક્તિઓ ખૂબ જ ઊંડી, પ્રેરણાદાયી અને સમાજ માટે અરીસો બતાવનારી છે. ​સમાજ પ્રત્યેની આપણી જવાબદારી શું છે, તે આ ચાર લીટીઓમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે: ​લડો સમાજ માટે: જો તમારામાં અન્યાય સામે લડવાની તાકાત હોય, તો આગળ આવીને લડો. ​લડી ના શકો તો બોલો: જો કોઈ કારણસર મેદાનમાં આવીને લડી ન શકો, તો અન્યાય સામે અવાજ ઉઠાવો, તમારો વિરોધ નોંધાવો. ​બોલી ના શકો તો લખો: જો અવાજ ઉઠાવવામાં પણ સંકોચ કે ડર હોય, તો તમારી કલમ ઉપાડો. લખાણ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. ​હિંમત ના તોડો: અને જો તમે આ ત્રણેય વસ્તુ કરવા સક્ષમ નથી, તો કંઈ નહીં... પણ જે લોકો સમાજ સુધારવા માટે લડી રહ્યા છે, બોલી રહ્યા છે કે લખી રહ્યા છે, તેમની હિંમત ક્યારેય ન તોડો. તેમનો પગ ખેંચવાને બદલે તેમને સાથ આપો અથવા મૌન રહીને પણ તેમનું મનોબળ વધારો. ​એકતા, સેવા અને સમર્પણની ભાવના સાથેનો આ સંદેશ ખરેખર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવો છે. ખૂબ જ સુંદર વિચાર!

જ્યારે મહમૂદ ગઝનવીએ શ્રી કૃષ્ણનું જન્મસ્થળ તોડી નાખ્યું હતું,

 ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરની જેમ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર પણ આક્રમણકારી મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો. આ મંદિરને પણ લૂંટી લીધું હતું. આ મંદિર ત્રણ વખત તૂટી ગયું છે અને ચાર વખત નિર્માણ થયું છે. હજી પણ આ સ્થળની માલિકી માટે બે પક્ષોમાં કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. જાણો કૃષ્ણ જન્માષ્ટમી પર જન્મ ઇતિહાસ… કૃષ્ણનો જ્યાં જન્મ થયો છે, તે પાંચ હજાર વર્ષ પહેલાં મલ્લપુરા ક્ષેત્રના કટરા કેશવ દેવમાં રાજા કામસાની જેલ હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ જેલમાં રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રિએ થયો હતો. ઇતિહાસકાર ડો. વાસુદેવ શરણ અગ્રવાલે કટરા કેશવદેવને કૃષ્ણનું જન્મસ્થળ માન્યું છે. વિવિધ અધ્યયન અને પુરાવાઓના આધારે, મથુરાના રાજકીય સંગ્રહાલયના બીજા કૃષ્ણદત્ત વાજપેયીએ પણ સ્વીકાર્યું કે કટરા કેશવદેવ એ કૃષ્ણનું સાચું જન્મસ્થળ છે. ઇતિહાસકારોના મતે, સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા બાંધવામાં આવેલા આ ભવ્ય મંદિર પર 1017 એ.ડી.માં મહેમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવ્યા બાદ તૂટી પડ્યો હતો. કૃષ્ણના મહાન પૌત્ર બજરનાભે પહેલું મંદિર બનાવ્યું : લોકપ્રિય માન્યતા અનુસાર, જેલની નજીકની પ્રથમ ...

Mamallapuram, Tamil Nadu

 તામિલનાડુમાં ચેન્નાઈથી લગભગ 60 કિમી દૂર બંગાળની ખાડીના કિનારે આવેલું મામલ્લાપુરમ (જે મહાબલીપુરમ તરીકે પણ ઓળખાય છે) તેના અદભુત દરિયાકાંઠાના મંદિરો, પથ્થરોમાંથી કોતરેલી ગુફાઓ અને પલ્લવ રાજવંશના સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ​ઇલોરાના કૈલાશ મંદિરની જેમ જ, આ સ્થળ પણ પ્રાચીન ભારતીય શિલ્પકળાનો સુવર્ણ ઇતિહાસ દર્શાવે છે. અહીં મામલ્લાપુરમનો ઇતિહાસ અને તેની મુખ્ય વિશેષતાઓ વિગતે આપવામાં આવી છે: ​1. મામલ્લાપુરમનો ઇતિહાસ (History) ​નિર્માણ કાળ: આ ઐતિહાસિક નગર અને તેના મંદિરોનું નિર્માણ 7મી અને 8મી સદી દરમિયાન થયું હતું. ​શાસક: આ સ્થાપત્યોનું નિર્માણ દક્ષિણ ભારતના શક્તિશાળી પલ્લવ રાજવંશ (Pallava Dynasty) ના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાજા નરસિંહવર્મન પ્રથમ (જેઓ પોતાની યુદ્ધકળાના કારણે 'મામલ્લ' એટલે કે મહાન યોદ્ધા તરીકે ઓળખાતા) અને રાજા નરસિંહવર્મન દ્વિતીય (રાજસિંહ) ના સમયમાં આ કાર્ય થયું. ​મહત્વ: પલ્લવ શાસન દરમિયાન મામલ્લાપુરમ એક વ્યસ્ત અને સમૃદ્ધ બંદર (Port City) હતું, જ્યાંથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર થતો હતો. ​2. મુખ્ય જોવાલાયક સ્થળો અને સ્થાપત્ય ​મામલ્...

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર

રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' લઇ રહ્યું છે આકાર, 98 % કામ પૂર્ણ, જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા....... આ રામવન ખાતે ભગવાન શ્રીરામના જુદા જુદા પ્રસંગો દર્શાવતાં 22 જેટલાં સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવશે અને ભગવાન શ્રીરામે કરેલો વનવાસ અર્બન ફોરેસ્ટમાં આકાર લઇ વિકસાવવામાં આવશે. 55 હજાર વૃક્ષથી ઘેઘૂર જંગલ બની રહ્યું છે. રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળશે આ અંગે રાજકોટ મહાનગપાલિકાના ગાર્ડન શાખાના અધિકારી કે.પી. હાપલિયાએ જણાવ્યું હતું કે રાજકોટના આજીડેમ પાસે નિર્માણ થઇ રહેલા રામવનનું દિવાળી બાદ મોટા ભાગનું કામ પૂર્ણ થઇ જશે, જેથી આગામી માર્ચ મહિનામાં રાજકોટના લોકોને અર્બન ફોરેસ્ટની ભેટ મળી જાય એ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મિની જંગલને તંત્ર દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે, જેનું 60 ટકા જેટલું કામ પૂરું થઇ ગયું છે. રામવન ખાતે વિવિધ કામગીરી અને નવાગામ સી.સી. રોડની ચાલુ કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનરશ્રી @arora2k21 : જુદાજુદા કામે નિમાયેલ એજન્સી સાથે કામગીરી અંગે મ્યુનિ. કમિશનરશ્રીએ રીવ્યુ બેઠક કરી: ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા સુચ...

जिस बुजुर्ग को मामूली समझकर टिकट फाड़़ दी गई. उसी ने एक कॉल मेंपूरी एयरलाइंस बंद करवा दी ।

 सर्दियों की सुबह थी। दिल्ली एयरपोर्ट की भीड़ अपने चरम पर थी। बिजनेस ट्रैवलर्स लैपटॉप लेकर भाग रहे थे। परिवार छुट्टियों पर जाने को तैयार थे और हर तरफ चकाचौंध थी। इसी भीड़ में एक बुजुर्ग व्यक्ति धीरे-धीरे चलते हुए एयरलाइंस के काउंटर तक पहुंचे। उनका पहनावा सादा था। सफेद कुर्ता पाजामा, ऊपर एक पुराना भूरे रंग का स्वेटर, और पैरों में फटी सी चप्पल। हाथ में एक प्लास्टिक कवर में रखी हुई प्रिंटेड टिकट थी। शायद कहीं से किसी ने निकाल कर दी हो। उनके चेहरे पर शांति थी। लेकिन आंखों में एक थकान भी जैसे कोई लंबा सफर तय करके आया हो। और अब केवल कंफर्म सीट का आश्वासन चाहिए। उन्होंने काउंटर पर खड़ी लड़की से बड़े विनम्र स्वर में पूछा। बिटिया यह मेरी टिकट है। सीट कंफर्म है क्या? मुझे जयपुर जाना है। लड़की ने एक नजर उन्हें ऊपर से नीचे तक देखा। फिर मुंह बनाया और बोली, "अंकल, यह रेलवे स्टेशन नहीं है। यहां बोर्डिंग ऐसे नहीं मिलती। पहले ऑनलाइन चेक इन करना पड़ता है। बुजुर्ग थोड़ा घबरा गए। मुझे नहीं आता बेटा। यह सब बस आप एक बार देख लो। प्लीज। मेरी बहू अस्पताल में है। पास खड़ा एक और कर्मचारी हंसते हुए बोला। अरे...

નારાયણ સરોવર

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે.  તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.  બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું. મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહી...