Skip to main content

વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા

 



¶¶ વીર વિરમદેવ ચૌહાણ અને સતી ફિરોજા ની પ્રેમ કથા ¶¶

અલ્લાઉદીન ખીલજીની પુત્રી ફિરોજા પ્રેમ દીવાની બની એક ક્ષત્રિય વિરમદેવ ચૌહાણના પ્રેમ મા.

અજાણ્યો ઉજાગર ઈતિહાસ....

આપણે ભણ્યા છીએ પણ ગણ્યાંનથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી. ગુજરાતી સાહિત્યનુ આપણે ભણતાં હતાં ત્યારે ભણવામાં પ્રબંદ સાહિત્ય આવતું હતું. તેમાં “કાન્હ્ડદે પ્રબંધ” વિષે આપણે ભણ્યા પણ હતાં. આ પ્રબંધ એ ચારણો દ્વારા રચાતી એક પ્રકારની વીર પ્રશસ્તિ છે. જે બનેલી ઘટનાઓ અને રચાયેલા ઇતિહાસનું વર્ણન કરે છે.

જે આજે એક ઐતિહાસિક પુરાવો બની ગયું છે,

 જેને ક્યારેય ઉવેખી શકાય જ નહીં !!!

આ વીર પ્રશસ્તિ એમાં કાવ્યાત્મકતા છે એટલે જ એ આજે સાહિત્ય રસિક જનોમાં પ્રિય છે અને એને વિષે ભણાવાય પણ છે ખરું. આ હિન્દી ભાષામાં છે !!! પણ આપણે એ ભૂલી જ ગયાં કે પદ્મનાભ કર્ણ દ્વારા રચીત ઉત્તમ મહાકાવ્ય પ્રકારનું એક કાવ્ય “કાન્હ્ડદે પ્રબંધ” ઇસવીસન ૧૪૫૫માં રચાયું હતું !!!

આ “કાન્હ્ડદે પ્રબંધ”માં રાજસ્થાનના રાજા કાન્હ્ડ દેવ દ્વારા  કરાયેલાં વિજયનો ની ગાથા છે. એમાં એક વિજય અલાઉદ્દીન ખીલજી પરનો છે. જોકે પછી અલ્લાઉદ્દીન ખિલજીદ્વારા કરાયેલાં આક્રમણમાં કાન્હ્ડ દેવે એંના એક વીર પુત્ર સેનાપતિ વીર વિરમદેવને મોકલ્યો અને હાર્યો અને માર્યો  ગયો અને જાલૌર હાર્યું. પણ આ વિરમદેવની યશોગાથા અને એની એક પ્રેમ ગાથા પણ છે. એ ખાસ જ જાણવા જેવી છે !!!!! આ વાત “કાન્હ્ડદે પ્રબંધ”માં આવે છે. 

અંગ્રેજીમાં એક  મુહાવરો છે

” History Repaets It Self ”

આ વાત ક્રૂર અને લુંટારા અલાઉદ્દીન ખીલજી માટે બિલકુલ સાચી પડે છે. જેવું કરો એવું પામો. જેને કોઈ ના પહોંચે એને પોતાનું જ પેટ પહોંચે !!! એવું કૈક અલાઉદ્દીન ખિલજી સાથે પણ બન્યું હતું. એ વાત કઈ છે તે હવે જાણીએ !!!!

આપણે સૌ અત્યારેજ નહિ પણ પહેલેથી જ જાણીએ છીએ “જૌહર” પ્રથા વિષે. આપને એ પણ જાણીએ છીએ કે આ જુહાર પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો તે આ નપાવટ અલ્લાઉદ્દીન ખિલજીની ક્રુરતા અને છળને કારણે, પણ આજ પ્રથા એને ખુદને માટે ઘાતક સાબિત થઇ હતી !!!

એ વાત જ આપણને ખબર નથી, એ જ વાત મારે તમને કરવી છે !!!!

આ ઇતિહાસમાં એક કિસ્સો એવો પણ છે કે જેનાથી અલ્લાઉદ્દીન ખિલજીની નીંદ હરામ થઇ ગઈ હતી. અલ્લાઉદ્દીન ખિલજીને ભારતનો સૌથી ક્રૂર અને નૃશંસ મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે. જેનાથી ભારતના ઘણાં રાજ્યોમાં માત્ર લુંટફાટ અને નરસંહાર કર્યા કંઈ કેટલાય મંદિરોનો ધ્વંસ કર્યો !!!

 અલ્લાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નૃશંસ અભિયાન ગુજરાતનું માનવામાં આવે છે. જેમાં એણે સોમનાથના મંદિરને લૂંટીને સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. 

પરંતુ અલ્લાઉદ્દીન ખિલજીની રાતોની નીંદ ત્યારે જ ગાયબ થઇ. જયારે એને ખબર પડી કે એની જ દિકરી ફિરોઝા એક રાજપૂત યોદ્ધા મહારાજ કાન્હ્ડ દેવનાં પુત્ર વિરમદેવને પ્રેમ કરતી હતી !!! 

એટલા માટે અલ્લાઉદ્દીન ખિલજીએ કાન્હ્ડ દેવનાં રાજ્યને નષ્ટ કરવાની યોજના બનાવી. ફિરોઝા -વિરરમદેવની પ્રેમ કથાનો આરંભ પોતાના ગુજરાત અભિયાનમાં સોમનાથનાં મંદિરને ધ્વસ્ત કર્યા પછી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌર રાજ્યમાંથી જઈ રહી હતી. જ્યાં રાજા કાન્હ્ડદેવનું શાસન હતું ……….

જલૌરની સેનાએ મુસ્લિમ સેના પર સીધેસીધું જ આક્રમણ કરી દીધું અને અલ્લાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ એનાં પછી સુલતાને સંધિ કરવા માટે કાન્હ્ડદેવને દિલ્હી આવાનું નિમંત્રણ મોકલ્યું !!!

રાજા કાન્હ્ડ દેવે પોતાના પુત્ર વિરમદેવને દિલ્હી મોકલ્યો જ્યાં એની મુલાકાત અલ્લાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા સાથે થઇ. વિરમદેવને જોઇને જ ફિરોજા એના પર ફિદા થઇ ગઈ અને મનોમન એને પ્રેમ કરવાં લાગી. 

¶____ફિરોજાનો વિવાહ પ્રસ્તાવ____¶

રાજકુમારી ફિરોજા એટલી હદ સુદીધી વિરમદેવ પર ફિદા થઇ ગઈ હતી કે એ મનોમન જ એને જ પોતાનો પતિ માનવા લાગી ગઈ હતી !!! વિરમદેવનું તે વખતે દિલ્હી દરબારમાં આવવાં-જવાંનું વધારે થતું હતું !!! એટલાંમાટે ફીરોજાએ વિરમદેવ સામે વિવાહનો પ્રસ્તાવ મુકાયો, પણ વિરમદેવ રાજપૂત હતાં અને ફિરોજા મુસલમાન, તેમ છતાં પણ શહઝાદીએ કોઈ પણ કિંમત પર વિરમ દેવ જોડે વિવાહ કરવાનો અને તેને અપનાવવાની જીદ પકડી હતી !!!!

શહઝાદીએ કહ્યું  :

” વર કરું તો વિરમદેવ , ના તો રહુંગી અક્ન કુંવારી ”

શહજાદીની હઠ સંભાળીને દિલ્હી દરબારમાં કોહરામ મચી ગયો, ઘણો વિચાર કર્યા પછી પોતાનાં રાજનૈતિક ફાયદાઓ જોઇને બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજી એને માટે તૈયાર થયાં. 

અને લગ્નનો પ્રસ્તાવ જાલૌર દુર્ગ પહોંચાડવામાં આવ્યો !!!

વિરામદેવનો ઐતિહાસિક ઉત્તર  :

વિરમદેવે જયારે અલ્લાઉદ્દીન ખિલજીનો આ પત્ર વાંચ્યો તો કહ્યું:

¶¶ મામા લાજૈ ભાટીયા, કુળ લાજૈ ચૌહાણ,

જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાન ¶¶

( મતલબ મારાં મામા ભાટીવંશના છે તો હું ખુદ ચૌહાણ એક તુર્કન સાથે કેવી રીતે લગ્ન કરું તો તો મારો વાંસ અપવિત્ર થઇ જશે, આ ત્યારેજ સંભવ થશે જયારે સુરજ પશ્ચિમમાં ઉગશે !!!)

  આ સાંભળીને ખિલજી આગબબુલા થઇ ગયો અને દિલ્હી પહોંચતા જ જાલૌરની વિરુદ્ધ યુદ્ધની ઘોષના કરી દીધી. 

¶__અલ્લાઉદ્દીન ખિલજીનું જાલૌર પર આક્રમણ__¶

અલ્લાઉદ્દીન ખિલજીએ દિલ્હી પાછાં ફરતાં જ એક વિશાળ સેના લઈને જાલૌરના કિલ્લાની ઘેરાબંધી કરી. અલ્લાઉદ્દીન ખિલજી આ પહેલાજ સોમનાથનાં યુદ્ધ પછી જાલૌરનું યુદ્ધ હારી ચુક્યો હતો. ત્યારે એણે સોમનાથ મંદિર ની લૂંટનો બધોજ માલ અને શિવલિંગ પણ પાછું આપી ચુક્યો હતો એટલે જ એને જાલૌરના રાજા કાન્હ્ડ દેવજોડે બદલો લેવાનું નિશ્ચિત કરી જ લીધું હતું !!!!

એક વર્ષ સુધી અલ્લાઉદ્દીન ખિલજીની સેના જાલૌરને ઘેરો ઘાલીને બેસી રહી. જોકે આ વાતનું ઐતિહાસિક પ્રમાણ નથી આ ખાલી વાર્તા ને મહાકાવ્યમાં જ છે. કારણકે વિશ્વવિક્રમી ઘેર્રો તો રણથંભોરનો હતો એ હું અગાઉ જણાવી જ ચુક્યો છું, પણ આખરે તો આ પ્રશસ્તિ જ ને !!! એમાં થોડીક તો અતિશયોક્તિ હોય હોય અને હોય જ !!!! પણ મહદાશિક  તથ્ય અને સત્ય તો છે જ !!! પણ સમયમાં થાપ ગઈ ગયા છે આ લખનાર !!!! પણ આ યોજના અસફળ રહી તો એક્દાહિયા રાજપૂતને લાલચ આપીને કિલ્લામાં ઘૂસવાનું ષડયંત્ર રચ્યું. કિલ્લામાં ગુપ્ત માર્ગમાંથી ઘુસવા લાગી તો રાજપૂતોએ પણ સામનો કરીને સાક્કા(રણભૂમિમાં બલિદાન) કરવાનો નિશ્ચય મનોમન કરીજ લીધો !!!

¶____પ્રેમમાં સતી થઇ ફિરોજા____¶

માત્ર ૨૨ વર્ષીય યોદ્ધારાજકુમાર વિરમદેવ ભગવા બાના પહેરીને યુદ્ધભૂમિમાં કુદી પડયા અને અલ્લાઉદ્દીન ખિલજીની સેનામાં ભાગદોડ મચી ગઈ. અલ્લાઉદ્દીન ખિલજીની એકા લાખની ફોજ સામે ૧૫ હજાર રાજપૂત પૂરી શક્તિથી લડતા રહ્યાં, પણ અંતે તેઓ હારી ગયાં!!! અને વિરમદેવને પકડીને એનું માથું કાપી નાંખ્યું. 

આ આખીય ઘટનાનો અંત હજી તો બાકી છે, પણ આ વાતને ઇતિહાસમાં જેટલું સ્થાન મળવું જોઈએ તેટલું મળ્યું જ નથી. આવી તો અનેક ઘટનાઓ છે જે ઇતિહાસમાં દફન થઇ ગઈ છે અને એને વિષે કોઈએ કીધુ જ નથી. પણ આખી ઘટના બેહદ રોમાંચક અને લોકોમાં ઉત્સાહ પ્રેરનારી છે. એની થીડીક વિગતો આપું છું. 

જાલૌર નાં વીર કાન્હડ દવ સોનગરાનાં પુત્ર વિરમદેવનું રાજસ્થાનનાં ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે !!!!

વિક્રમ સંવત ૧૩૫૫, ઇસવીસન ૧૨૯૮માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગુ ખાં અને નાસરત ખાંએ ગુજરાત વિજય અભિયાન માટે જાલૌરના કાન્હડ દેવ પાસે રસ્તો માંગ્યો પરંતુ કાન્હડ દેવે આક્રમણકર્તાઓ અને લૂંટારુંઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગી નાં આપી. અત: અલ્લાઉદ્દીન ખિલજીની સેના અન્ય રસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટફાટ કરી !!!!

પાછાં ફરતી સમયે અલ્લાઉદ્દીન ખિલજીની સેના પર કાન્હડ દેવે આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ એ સમયે અલ્લાઉદ્દીન ખિલજીનું ધ્યાન રણથંભોર અને ચિત્તોડ વિજયની તરફ વધારે હતું. અત : એને જીતીને ખિલજી વિક્રમ સંવત ૧૩૬૨ ઇસવીસન ૧૩૦૪ માં એને ઉલમુલક સુલતાન સાથે સેના જાલૌર મોકલી. અલ્લાઉદ્દીન ખિલજી ના સેનાનાયકે આદરપૂર્વક સંધીનું આશ્વાસન આપીને કાન્હડ દેવને દિલ્હી મોકલી દીધો !!!! અને ત્યાર પછી એમના પુત્ર વિરમદેવ દિલ્હી રહેવાં લાગ્યાં!!!

અહીંથી જ શરુ થાય છે વિરમદેવ અને પ્રેમની દાસ્તાન

કાન્હ્ડદેવનો પુત્ર વીરમદેવ એક સુડોળ શરીરનો તેજવાન રાજવંશી હતો !!!

§~~એમની વીરતા માટે એક દોહા પ્રસિદ્ધ છે~~§

¶¶ સોનગરા બંકો ક્ષત્રિય, અણરો જોશ અપાર ।

ઝેલે કુણ અણ જગતમે વીરમ રી તલવાર ¶¶

દિલ્હી દરબારમાં રહેવાં દરમિયાન ત્યાની એક શહજાદી ફિરોજાને એમની સાથે પ્રેમ થઇ ગયો, જો કે એ સમયે આવી રીતના રાજાનૈતિક વિવાહ સંબંધ પ્રચલનમાં નહોતાં. 

એટલા માટે ફિરોજા અને વીરમદેવ નો વિવાહ સંબંધ નાં થઇ શક્યો. પરંતુ ફિરોજાનો પ્રેમ વીરમદેવ પ્રત્યે ખુબ જ વધી ગયો, એ મનોમન જ વીરમદેવને એનો પતિ માની ચુકી હતી.. 

અહીં વીરમદેવે સામાજિક અને કુળની પરંપરાઓને ધ્યાનમાં રાખીને ફિરોજા સાથે વિવાહનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો અને આ કારને જ યુદ્ધની સંભાવના વધી ગઈ !!!!

પછી અલ્લાઉદ્દીન ખિલજીએ જાલૌર પર આક્રમણ કરવા માટે ૫ વર્ષ સુધી કઈ કેટલીય સૈન્ય ટુકડીઓ મોકલી, પરંતુ સફળતા નાં જ મળી શકી અને છેવટે ઇસવીસન ૧૩૧૦મ સ્વયં ખિલજીએક બહુજ મોટી સેના લઈને જાલૌર આવવા રવાના થયો અને પહેલાં એણે સિવાના પર આક્રમણ કર્યું અને એક વિશ્વાસઘાતી ની મદદથી સિવાનાના દુર્ગના સુરક્ષિત જલ ભંડારમાં ગૌ રક્ત અને માંસ નાખવી દીધું જેનાથી પીવાનું પાણી દુષિત થઇ ગયું !!! એટલા માટે સિવાનાનાં શાસક સાતલદેવે અંતિમ યુદ્ધની ઘોષણા કરીને કેસરિયા બાના પહેરી લીધાં. જેમાં રાણીઓએ અને અન્ય સ્ત્રીઓ સાથે જૌહર કર્યું અને સાતલદેવ આદિ વીર શાકા કરીને અંતિમ યુદ્ધમાં વીરગતિ પામ્યાં!!!!

એનાં પછી તરતજ ખિલજીએ પોતાની સેનાનાને આક્રમણનો હુકમ આપી દઈને એ પોતે દિલ્હી આવતો રહ્યો. એમની સેનાએ મારવાડમાં લૂંટફાટ ખુબ કરી અને ઘણાં અત્યાચાર પણ કર્યા. સાંચોરનાં પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણાં મંદિરોને ખંડિત કર્યા …… પછી કાન્હડદેવે કેટલીક જગ્યાએ ખિલજી સેના પર આક્રમણ કર્યું અને ને હરાવ્યો અને બંને વચ્ચે ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલતું રહ્યું.

આખરે ખીલજીએ જાલૌરમાં તે સેનાપતિ ક્માંલુદ્દીનને વિશાલ સૈન્ય દલ સાથે જાલૌર મોકલી આપ્યો પછી સેનાપતિએ જાલૌર દુર્ગની ચારે તરફ બહુજ મોટો ઘેરો ઘાલીને યુદ્ધ કર્યું, પરંતુ તે જાલૌર નાં જીતી શક્યો અને પોતાની સેનાને પાછો લઇ જવા લાગ્યો. ત્યારે જ કાન્હડ દેવાના એક સરદાર વિકાએ જાલૌર થી પાછી ફરી રહેલી સેનાને દુર્ગનાં ગુપ્ત અને ખુલતા રસ્તાઓનું રહસ્ય બતાવી દીધું. વિકાનાં એ વિશ્વાસઘાતને કારણે વિકાની પત્નીએ વિકાને ઝેર આપીને મારી નાંખ્યો. આ રીતે વિશ્વાસ્ઘાતીને કારણે જાલૌર પર ખિલજીની સેનાનો કબજો થઇ ગયો.

વિક્રમ સંવત ૧૩૬૮માં કાન્હડ દેવે વિરમદેવને ગાદી પર બેસાડ્યો અને અંતિમ યુદ્ધ કર્યું. જાલૌર દુર્ગમાં રાણીઓ સિવાય અન્ય સ્ત્રીઓએ પણ જૌહર કર્યું અને કાન્હડ દેવ શાકા કરતાં કરતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં.

વીરમદેવે પોતાનાં શાસનકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષ યુદ્ધમાં વિતાવ્યા અને પછી વીરમદેવે પણ કેસરિયા બાના પહેરીને અંતિમ યુદ્ધ લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરી ગયાં તથા દુર્ગની મહિલાઓએ જૌહર કરી લીધું. વીરમદેવની વીરગતિ પામ્યાં પછી શાહજાદી ફિરોજાની સનાવર નામની ધાય (દાસી)પણ યુધ્દમાં સેના સાથે આવી હતી. એ વીરમદેનું મસ્તક કાપીને એને સુગંધિત પદાર્થોમાં રાખીને દિલ્હી લઇ ગઈ અને એમ કહેવાય છે કે, 

¶¶ વીરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોજાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું, ¶¶ ત્યારે વ્યથીત શહજાદી ફિરોજાએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી.

¶¶ તજ તુરકાણી ચાલ હિંદુ આણીહુઈ હંમે  |

ભો -ભો રા ભરતાર, શીશ ન ધુણ સોનીગરા|| ¶¶

ફીરોજાએ એમનાં માસ્કનો અગ્નિ સંસ્કાર કર્યો અને સ્વયં માં થી આજ્ઞા પામીને યમુના નદીનાં જળમાં પ્રવિષ્ટ થઇ ગઈ!!!!

શહજાદી પોતાનાં પર્ણ પર અડિગ હતી એ વિરમદેની રાખને અસ્થી લઈને યમુના નદીમાં કુદીને સતી થઇ ગઈ.

એક તુર્ક મુસ્લિમ રાજકુમારી એક હિંદુ રાજકુમાર માટે એટલી પાગલ હતી કે એને યમુનામાં કુદીને પોતાની જાન આપી દીધી અને વીરમદેવની સાથે સતી થઇ ગઈ !!!!

(કાન્હડદે પ્રબંધ તથા નાય સંદર્ભ પુસ્તકો અને જન માનસમાંથી સાભાર )

જે ક્રૂર અને ઘાતકી તુર્કી સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં “જૌહર “થયાં હતાં. એ જ કારણ ભૂત હતો આ બધાની પાછળ, પણ જયારે એજ વાત બુમરેંગ બનીને એના જ ઘરમાં આવી ત્યારે

એને ખબર પડી હશે જ ને કે સતી થવું કેટલું વેદનાદાયક હોય છે ?

જૌહર એ રાજપુતાણીઓ માટે લગ્ન જેવો અવસર છે, જેમાં તે ક્યારેય પાછી પાણી કરતાં અચકાતી નહોતી. આજ વાત જયારે એક મુસ્લિમ કન્યાએ સાબિત કરી, ત્યારે ભારતીય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ ખામોશ છે !!!

મહારાજા ભોજ

Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘો...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...