Skip to main content

સૂરજ દેવળ કાઠિઓના બલિદાન

 વિક્રમ સંવત ૧૭૪૮ વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ


મોગલ સલ્તનતની પરંપરા મુજબ ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી. ઔરંગઝેબે ગાદીનશીન થતા જ પોતાના ભાઈ અને ભત્રીજાઓની હત્યા કરી મોગલ ગાદીના કોઈ વારસદાર જીવતા છોડ્યા ન હતા. ઔરંગઝેબે મોગલ પરંપરા વિરુદ્ધ કટ્ટર મુસ્લિમ વલણ અપનાવતા પ્રજાને હિંદુ-મુસ્લિમ એવા બે ભાગમાં વહેંચી દીધી હતી. એ સાથે મુસ્લિમ ધર્મના પ્રસાર માટે ઔરંગઝેબે જોર-જુલમ સાથે ભેદભાવભર્યા મુંડકા, જજીયા, યાત્રાળુ જેવા કરવેરા નાંખી હિંદુ પ્રજામાં હીનતા સાથે અન્યાય અને ભયની લાગણી ફેલાવવામાં કોઈ કસર છોડી ન હતી. વાર-તહેવારો, ધુપ-ધ્યાન, આરતી, જાહેરમાં ધાર્મિકક્રિયા, શોભાયાત્રા, બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રવાંચન, સત્સંગ, ભજન-કીર્તન, ધાર્મિક મેળા વગેરે ઉપર પ્રતિબંધ મૂકી અસંખ્ય વડવાઈઓથી શોભતા ઘેઘૂર વડલા જેવા સનાતનધર્મને મૂળમાંથી ઉખેડી નાંખવા ધર્માંધ ઔરંગઝેબે સામ-દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી. એ સાથે કાશી-મથુરાના ઘણા મંદિરો તોડી પાક મુસ્લિમ તરીકે પોતાને જાહેર કર્યો. ધર્મ આધારિત ભેદભાવ ભરી રાજનીતિના કારણે સમગ્ર ભારતવર્ષમાંથી ઔરંગઝેબ સામે વિરોધ ઊઠ્યો હતો, પંજાબમાં ગુરુ ગોવિંદસિંહે શીખસેના ઉભી કરી, તો માળવા-મેવાડમાંથી વીર દુર્ગાદાસે તેને પડકાર્યો હતો. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબના સામ્રાજ્યને મરાઠાવાડમાં હચમચાવી દેતા તે દક્ષિણ સુધી લાંબો થયો હતો. આવા સમયે કાઠીઓ ચૂપ કેમ રહી શકે ? ધંધુકાથી લઈ અમદાવાદના પાદરમાં આવેલ સરખેજ સુધી કાઠીઓના કટક મોગલોનો રાજકોષ લુંટી પોતાની ધાક જમાવી રહ્યા હતા.


છત્રપતિ શિવાજીને પકડવા સહ્યાદ્રી પર્વતમાળામાં રઝળપાટ કરી રહેલા ઔરંગઝેબે ગુજરાતના મોગલસૂબાને આદેશ આપી સોમનાથનું તૂટેલું શિવમંદિર ફરીથી તોડાવેલ. તો થાનગઢમાં આવેલ કાઠીઓના આરાધ્યદેવ શ્રીસૂર્યનારાયણ અને દ્વારકામાં આવેલ શ્રીદ્વારકાધીશના મંદિરો તોડવાના ફરમાનો જારી કર્યા હતા. શહેનશાહ ઔરંગઝેબનું ફરમાન મળતા ગુજરાતના મોગલસૂબા સુજાતખાન વિ. સં. ૧૭૮૪માં વિશાળ સેના સાથે ઝાલાવાડની બાકી ખંડણી વસુલ કરી થાનગઢમાં આવેલા અંજવાળાના આધાર સમા ભગવાન શ્રીસૂર્યનારાયણના મંદિર ઉપર આક્રમણ કર્યુઁ. કાઠીઓએ પોતાના આરાધ્યદેવ ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર તોડવાના મોગલ સમ્રાટના ફરમાનની જાણ થતા સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કાઠીઓ મોગલ સેના સામે બાથ ભીડવા થાનગઢ તરફ ચાલી નીકળ્યા. મોગલોની અમાપ સૈન્યશક્તિ સામે કાઠીઓની કોઈ વિસાત ન હતી, પરંતુ ધર્મરક્ષા માટે માથે કફન બાંધી કાઠી જવાંમર્દો ચાલી નીકળ્યા. મોગલોની વિરાટ સૈન્ય તાકાત જોઈ શ્રીસૂર્યનારાયણ મંદિરને તૂટતું બચાવવા કાઠીઓની મદદ કરવા બીજા કોઈ હિંદુ રાજા આગળ ન આવતા ભયંકર વાવાઝોડા જેવી મોગલસેના સામે કાઠીઓની તાકાતની કોઈ વિસાત ન હતી. પણ એમ હિંમત હારી જાય તેવા કાઠીઓ ન હોય ધર્મરક્ષા કાજે તેઓ મારવા’ને મરવા તલપાપડ થયા હતા. અમદાવાદથી નીકળેલો મોગલસૂબો સુજાતખાન બાકી ખંડણી ઉઘરાવતો ઝાલાવાડ થઈ થાનગઢ તરફ આગળ વધ્યો હતો. ઘૂઘવતા સાગર જેવી વિશાળ મોગલસેનાએ થાન નજીક આવેલ કંડોલ ટેકરી ઉપર આવેલા લાખાગઢ ખાતેના ઐતિહાસિક સૂર્યમંદિર ઉપર આક્રમણ કર્યું. ત્યારે સૂર્યમંદિર, થાનગઢ ખાતે સૌરાષ્ટ્રની ચોવીસેય પરજના ભેગા થયેલા કાઠીઓએ વિક્રમ સંવત ૧૭૪૮ના વૈશાખ સુદ એકમના દિવસે મંદિર તોડવા આગળ વધેલી યવનસેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. વિરાટ સામે વામનનું આ યુદ્ધ હતું. વૈશાખસુદ એકમથી લઈ ત્રીજ સુધી ચાલેલા આ ભયાનક યુદ્ધમાં કાઠીઓએ મોગલસેનાને હંફાવી દેવામાં કોઈ કચાશ છોડી ન હતી. જોકે વિશાળ મોગલસેના સામે લાંબા સમય સુધી ટકી રહેવું કાઠીઓને મુશ્કેલ લાગતા મંદિરની મૂર્તિઓ સલામત સ્થળે ખસેડી તેઓએ કેસરીયા કર્યા હતા.


ત્રણ દિવસના લોહીયાળ જંગમાં મોગલ સેનાના અનેક સૈનિકોને મોતને ઘાટ ઉતારી કાઠીઓ છેલ્લા શ્વાસ સુધી લડતા લડતા વીરગતી પામ્યા. સુજાતખાને અનેક સૈનિકોના ભોગે વિજય મેળવી સૂર્યમંદિરમાં પ્રવેશ કરતા મૂર્તિ વગરનું મંદિર જોતા તેણે ક્રોધીત થતા મંદિરને મૂળમાંથી તોડી પાડવાનો આદેશ કર્યો. સુજાતખાને સૂર્યમંદિર તોડી થાનગઢમાં મોગલ થાણું મૂકી તે પાછો ફર્યો હતો. મોગલસૂબાએ કાઠીઓ સાથેના યુદ્ધમાં ભારે જાનહાની ભોગવતા તે શ્રીદ્વારકાધીશનું મંદિર તોડવા સમર્થ રહ્યો ન હતો. ત્યારે બીજીબાજુ મારવાડ-મેવાડના વીર દુર્ગાદાસ રાઠોડે મોગલસેનાએ સૂર્યમંદિર ઉપર કરેલ આક્રમણના સમાચાર સાંભળી કાઠીઓની મદદે રણ ઓળંગી આવી પહોંચતા ગોરીલા હુમલા સાથે મોગલસૂબાને ભીડાવ્યો હતો. કાઠીઓએ અનેક બલિદાન આપવા છતાં ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર બચાવી ન શકતા તેઓ દુ:ખી થયા, પરંતુ હારના કારણે નિરાશ થઈ હાથ ઉપર હાથ રાખી કાઠીઓ બેસી રહે તેવા નબળા ન હતા. કાઠીઓને થાનગઢનું મોગલ થાણું આંખના કણાની જેમ ખટકતું હોય તેના ઉપર સતત હુમલા કરી પાંચ-સાત વર્ષમાં તે પાછું મેળવી લીધું, તેવું જૂના સૂરજદેવળ ખાતે જોવા મળતા પાળીયાઓ ઉપરના લખાણો પરથી સ્પષ્ટ થાય છે.


પાળીયાના લખાણ મુજબ સમય નિયત કરતા તારીખ ૨૨ એપ્રિલ ૧૬૯૬ના દિવસે અભિરાજજીના પ્રપૌત્ર સંગરામજી તથા અન્ય પાળીયામાં તારીખ ૧૯ સપ્ટેમ્બર ૧૭૦૧ માં વિરગતી પામેલા કાઠીવિરોની નોંધ આ વાતને સમર્થન આપે છે. જોકે હળવદના રાજા અભેસિંહજી ઝાલાએ છેલ્લે થાન પોતાના કબજામાં લેતા સન 1947 સુધી તે ઝાલાઓના કબજામાં રહ્યું હતું.


ઔરંગઝેબની ધર્માંધ અને હિંદુધર્મ પ્રત્યેની ભેદભાવભરી નીતિને કારણે મોગલ સલ્તનતમાં ચારેબાજુ વિદ્રોહની જવાળા ફાટી નીકળેલી. ઔરંગઝેબે પોતાના ભાઈઓ અને ભત્રીજાઓની હત્યાઓ કરી ગાદી કબજે કરી, એ સાથે તે આજીવન લોહીયાળ જંગ ખેલતો રહ્યો તોય પોતાના પૂર્વજોએ સ્થાપેલ મોગલ સત્તાને નબળી પડતા બચાવી શક્યો ન હતો.


ઔરંગઝેબ પોતાની ભેદભાવ ભરેલ નીતિઓને કારણે સતત સંઘર્ષમય જીવન સાથે ઉંમર અને બીમારીથી અશકત થતા નિરાશાથી ઘેરાયો હતો. ત્યારે હિંદુસ્તાનના વિશાળ મોગલ સામ્રાજ્યનો માલિક ઔરંગઝેબ એકલા હાથે વિશાળ મોગલ સલ્તનતને સંભાળી ન શકતા વિદ્રોહની આગ બુઝાવવા સેના સાથે ચારેબાજુ દોડી રહ્યો હતો, એ દરમિયાન ઇ.સ. 1707 માં મહારાષ્ટ્રમાં આવેલા ઔરંગાબાદ નજીક મોગલ સમ્રાટ ઘોર નિરાશા સાથે મૃત્યુ પામ્યો હતો. ઔરંગઝેબના મૃત્યુ સાથે મોગલ સલ્તનત નબળી પડતા કાઠીઓએ થાનગઢ ફરી કબજે કરી સૂર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરતા ઈરાની અસર દર્શાવતી અસલ મૂર્તિઓ તેના મૂળ સ્થાને સ્થાપી.


એક મંતવ્ય મુજબ કાઠીઓ પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીસૂર્યનારાયણનું મંદિર બચાવી ન શકતા ખૂબ દુ:ખી થયા. અને પ્રાયશ્વિતરૂપે વિ. સં. ૧૭૪૮ના વૈશાખ સુદ ૧, ૨, અને ૩ના ત્રણ દિવસ સુધી મોગલ સેના સાથે થયેલા યુદ્ધમાં વિરગતી પામેલા કાઠીવીરોની કાયમી યાદ રાખતા શ્રીસૂર્યમંદિર, સૂરજદેવળ ખાતે ભેગા થાય છે, અને આ ધર્મયુદ્ધમાં વિરગતી પામેલા કાઠી સપૂતોને શ્રદ્ધાંજલી આપવા આ ત્રણ દિવસના કઠોર ઉપવાસ કરી સદીઓ જૂની પરંપરાને જાળવી રાખી છે.


શત શત નમન બધા શૂરવીરોને જય સુર્ય નારાયણ જય માતાજી 

Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘો...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...