Skip to main content

વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે

 વૈદિક ઘડિયાળ નામના અર્થ સાથે




🕉️1:00 વાગ્યાના સ્થાન પર ब्रह्म લખેલું છે જેનો અર્થ થાય છે; બ્રહ્મ એક જ છે બે નથી. 


🕉️2:00 વાગ્યાના સ્થાને अश्विनौ લખેલું છે તેનો અર્થ થાય કે; અશ્વિની કુમારો બે છે 


🕉️3:00 વાગ્યાના સ્થાને त्रिगुणाः લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: સત્વ રજસ્ અને તમસ્ 


🕉️4:00 વાગ્યાના સ્થાને चतुर्वेदाःલખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે; ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ 


🕉️5:00 વાગ્યાના સ્થાને पंचप्राणा લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે; પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન 


🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલુંછે षड्रसाः એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે; મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો 


🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે सप्तर्षियः તેનો અર્થ થાય સાત ઋષિ છે; કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ 


🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે अष्टसिद्धि જેનો અર્થ થાયઆઠ પ્રકારની સિદ્ધિ છે; અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ 


🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે नव द्रव्याणी જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે; પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ 


🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે दशदिशः જેનો અર્થ થાય દશ દિશાઓ; પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ

🕉️11:00 ના સ્થાને લખેલું છે रुद्राः જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે; કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે आदित्याः જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ; અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ ભુલાઈ ગયેલી ભારતની મહાન સંસ્કૃતિ


Comments

Popular posts from this blog

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨

રોજગાર સમાચાર - કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨