Skip to main content

એરોવિલ : ભારત સરકારની અંદર હોવા છતાં પણ તે સ્વતંત્ર છે,

 


કોણે વસાવ્યું ઓરોવિલ

ચેન્નાઈથી 150 કિલોમીટર દૂર આવેલા ઓરોવિલ ફાઉન્ડેશન પોતાની રીતે જ એક શહેર પણ છે, જ્યાં મુદ્રા એટલે કરન્સી જેવું કંઈ જ નથી. આ શહેરની વસ્તી 2500ની આસપાસ છે. આ શહેરમાં એવી સુખ સુવિધાઓ છે કે સારામાં સાર મોટા શહેર પણ તેની સામે ટકતા નથી, એટલે કે આ એક પોતાનામાં જ નાનું એવું સ્માર્ટ સિટી છે. ઓરોવિલની સ્થાપના 1968માં યુનેસ્કોના સહયોગથી અરવિંદ સોસાયટીના માં મીરા અલ્ફાંસાએ કરી હતી. રોજર એન્ગર નામના બ્રિટિશ આર્કિટેક્ચરે તેની ડિઝાઈન તૈયાર કરી હતી. જે ડિઝાઈન એક ગેલેક્સીની જેમ છે અને તેની વચ્ચે એક માતૃ મંદિર છે જ્યાં લોકો મેડિટેશન કરે છે.

ઓરોવિલની સ્થાપના માટે ભારત સરકારની મંજૂરી બાદ તેને યુનિસ્કોની સામે રાખવામાં આવ્યું હતું, જ્યાં એક રિઝોલ્યુશન પાસ કરીને તેના નિર્માણની મંજૂરી આપવામાં આવી. આ રિઝોલ્યૂશનનું સમર્થન ભારત સહિત યુનિસ્કોના સભ્ય દેશોએ કર્યો. 18 ફેબ્રુઆરી, 1968નાં રોજ ઓરોવિલના ઉદ્ઘટાન સમારંભમાં 124 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા તેઓ પોતાની સાથે પોતાના દેશની માટી લઈને આવ્યા હતા, જેને એક સંગેમરમરના કમળના આકારના બનેલા કળશમાં રાખવામાં આવી, આ કામ અહીં આવેલા એક વડલાના ઝાડ નીચે થયું હતું.

ઓરોવિલ પોતાની રીતે એક સ્માર્ટ સિટી

આ શહેર કોઈ વ્યક્તિ વિશેષનું નથી, પરંતુ દરેક લોકોનું છે. એટલું જ નહીં અહીંના કાયદા-કાનૂન પણ અલગ છે. અહીં 42 દેશોના લોકો ઘણી જ સાદગીથી જીવન વિતાવે છે. જેમાંથી 30 ટકા ભારતીય પણ છે.

ઓરોવિલમાં સ્કૂલ, હોસ્પિટલથી લઈને યુનિવર્સિટી પણ છે. તેમજ લોકોની જરૂરિયાત દરેક ચીજવસ્તુ પણ આસાનીથી મળી રહે છે. પુ઼ડ્ડુચેરીથી નજીક વિલુપ્પુરમમાં સ્થિત એરોવિલના લોકો માટે કહેવાય છે કે આ શહેર સૂર્યોદયનું શહેર છે. અહીં વિશ્વના કોઈ પણ ખૂણેથી કે દેશમાંથી આવીને વસી શકાય છે. અહીં આવતા લોકોનો ન તો ધર્મ પૂછવામાં આવે છે કે ન તો તેની રાષ્ટ્રીયતા. આ જગ્યા માનવીય સંવેદનાનું ચરમસ્થાન છે.

કોણ હતા અરવિંદ ઘોષ

ક્રાંતિકારી મહર્ષિ અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ, 1872નાં રોજ કોલકાતામાં થયો હતો. અરવિંદના પિતાનું નામ કેડી ઘોષ અને માતાનું નામ સ્વમલતા હતું. અરવિંદ ઘોષે દાર્જિલિંગના લોરેન્ટો કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યા બાદ, 1879માં ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગયા. લંડનની સેન્ટ પોલમાં તેઓએ અભ્યાસર પૂર્ણ કર્યો. જે બાદ તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. પિતાના સતત આગ્રહના કારણે તેઓએ ICS માટે આવેદન કર્યું અને તેની તૈયારી કરી. 1890માં તેઓએ ભારતીય સિવિલ સેવા પરીક્ષા પાસ કરી. પરંતુ તે સમયે સિવિલ સર્વિસ પરીક્ષામાં ઘોડેસવારીની પરીક્ષા જરૂરી હતી, જે તેઓએ ન આપી અને તેમને સિવિલ સેવામાં પ્રવેશ ન મળ્યો.


ભારત આવ્યા બાદ વર્ષ 1902માં અરવિંદ ઘોષની મુલાકાત ક્રાંતિકારી બાલ ગંગાધર સાથે થઈ. તિલકના ક્રાંતિકારી વિચારોથી ઘોષ ઘણાં જ પ્રભાવિત થયા અને તેઓને પોતાના જીવનના ઉદ્દેશ્યનો માર્ગ મળી ગયો. 1916માં ઘોષ કોંગ્રેસ સાથે જોડાયા, જ્યાં તેઓની મુલાકાત લાલ, બાલ અને પાલ એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલના સમર્થક બની ગયા. વર્ષ 1905માં બંગ ભંગ આંદોલન થયું અને તેમાં અત્યાચાર કરનાર કિંગ્સફોર્ડને મારવાનો પ્લાન ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ બનાવ્યો. પ્લાન અસફળ રહ્યો પરંતુ તપાસ કરવામાં આવતા તેના તાર ઘોષ સુધી પહોંચ્યા. ક્રાંતિકારી ઘોષની પ્રવૃતિઓથી અંગ્રેજો ભયભીત થઈને 1908માં તેમને અને તેમના ભાઈને અલીપુર જેલ મોકલવામાં આવ્યા. જેલમાંથી છૂટીને અંગ્રેજીમાં કર્મયોગી અને બંગાળ ભાષામાં ધર્મ પત્રિકાઓનું સંપાદન કર્યું. વર્ષ 1912 સુધી તેઓએ સક્રિય રાજનીતિમાં ભાગ લીધો. જે બાદ તેમની રૂચિ ગીતા, ઉપનિષદ અને વેદોમાં થઈ.

ઓરોવિલમાં કોઈ કરન્સીનું ચલણ નથી

ઓરોવિલને લઈને જે સૌથી અનોખી વાત અહીં લોકોના ખેંચે છે તે છે અહીં રૂપિયા કે પૈસાનું ચલણ જ નથી. 1985-86માં એક ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર સ્ટાર્ટ કરાયું હતું, ત્યારથી તે RBIની આજ્ઞાથી બેંકની જેમ જ કામ કરે છે. જેમાં અહીં રહેતા લોકો પોતાના પૈસા ઓનલાઈન કે ઓફલાઈન જમા કરાવે છે. જેના બદલામાં ઓરોવિલે ફાયનાન્સિયલ સર્વિસ એક એકાઉન્ટ નંબર આપે છે. ઓરોવિલમાં આવેલા લગભગ 200 કોમર્શિયલ સેન્ટર અને નાની-મોટી દુકાનો પર આ એકાઉન્ટ નંબર બતાવીને કે ખરીદી કરવામાં આવે છે.


તો જે વિઝિટર્સ અહીં આવે છે, તેમના માટે એક ટેમ્પરરી એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને ખાસ પ્રકારનું ડેબિટ કાર્ડ તેમને આપવામાં આવે છે જેને ઓરો કાર્ડ કહેવામાં આવે છે. અહીં રહેતા લોકો પોતાની કમાણીનો કેટલોક હિસ્સો કોમ્યુનિટી કે વેલફેરમાં આપે છે. ઓરોવિલનું સેન્ટ્રલ ફંડનું બજેટ 33 ટકા ભાગ અહીંના કોમર્શિયલ યુનિટ્સથી આવે છે, જ્યારે કે ભારત સરકાર પણ થોડું ઘણું યોગદાન આપે છે. આ ઉપરાંત અહીં એક મેઈનટનન્સ ડિપાર્ટમેન્ટ છે જ્યાંથી અહીં રહેતા લોકો પોતાની જરૂરિયાત મુજબથી આર્થિક મદદ લઈ શકે છે. આ જગ્યાએ ઘરોના માલિક તેમાં રહેતા લોકો નહીં પરંતુ ઓરોવિલ ફાઉન્ડેશન છે. આઈએસ અધિકારી વહિવટદાર તરીકે નિમાય છે.

ઓરોવિલઃ ધ સીટી ઓફ ડાઉન 6 ભાગમાં વેચાયેલું છે


ઓરોવિલ 6 ભાગમાં વેચાયેલું એક સ્માર્ટ સિટી છે. ઓરોવિલની ટાઉનશિપના કેન્દ્રમાં પીસ એરિયા છે જ્યાં મોટું ગોલ્ડન સ્પરિકલવાળું એક મંદિર છે. આ મંદિરને માતા મંદિર કહેવામાં આવે છે. જેમાં ચારેબાજુ ગોળાકાર ગાર્ડન છે, જેમાં સંગેમરમરનો કળશે જ્યાં 124 દેશ અને ભારતના 21 રાજ્યોની માટી છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં વોટર રિચાર્જ માટે એક તળાવે છે જે અહીંના વાતાવરણને શાંતિમય બનાવે છે.

પીસ એરિયા બાદ ઈન્ડસ્ટ્રીયલ ઝોન પણ છે જેમં ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ છે. જે 109 હેકડરમાં ફેલાયેલું છે. આ ઝોનનો મુખ્ય ઉદ્દેશ્ય ટાઉનશિપને આત્મનિર્ભર બનાવવાનો છે.

ઈન્ડસ્ટ્રીયલ ઝોન બાદ 189 હેકટરમાં રેસિડેન્સિયાલ એરિયા પણ છે. જેનો 55% ભાગ ગ્રીન છે અને 45% વિસ્તારમાં બિલ્ડિંગ છે.

રેસિડેન્શિયલ એરિયા પછી 93 હેકટેરનું કલ્ચરલ ઝોન છે. જ્યાં શિક્ષા, રિસર્ચ અને આર્ટને સમર્પિત ભાગ છે.

આ ઉપરાંત એક મોટો ગ્રીન બેલ્ટ એરિયા છે. જે આ બધાં જ ભાગોને ગોળાકાર રૂપે કવર કરે છે. જેનો વિસ્તાર 1.25 કિલોમીટર છે. આ હાલ 405 હેકટરમાં ફેલાયેલો છે જ્યાં પશુપાલન અને અન્ય વન્ય જીવોને રહેવા માટે જગ્યા છોડવામાં આવી છે.

આ ઉપરાંત અહીં આજુબાજુ અનેક સુંદર બીચ પણ છે. જેમાં સેરેનિટી બીચ, પ્રોમેનાડે બીચ, પેરાડાઈઝ બીચ, માહે બીચ, કરાયકલ બીચ સામેલ છે.

અહીં રોકાવા માટે અરવિંદો આશ્રમના અનેક ગેસ્ટ હાઉસ ઉપરાંત હોટલ પણ છે. પરંતુ પહેલાંથી બુકિંગ કરવાની અસુવિધાથી બચી શકાય છે.

ભારતના બંધારણમાં એક અલગ જગ્યા

ઓરોવિલને લઈને માં મીરાનું માનવું હતું કે, 'આની સ્વતંત્રતા પર ભારત સરકાર એક ખતરો છે.' તેમની માન્યતા તેમના નિધન બાદ સાચી સાબિત થઈ. 1980માં ભારત સરકારે એક ઈમરજન્સી ઓરોવિલ પ્રોવિઝનલ એક્ટ પાસ કર્યો અને તેનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું. જેના વિરૂદ્ધ અહીંની સોસાયટીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, કોર્ટના અંતિમ ચુકાદામાં સરકારના હસ્તક્ષેપને બંધારણીય રીતે કાયદેસરનું માનવામાં આવ્યું છે.


1988માં ઓરોવિલ મેનેજમેન્ટ માટે એક સારી વ્યવસ્થા કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ વખતે સરકારમાં શિક્ષા સલાહકાર કિરીટ જોશી કે જેઓ ટાઉનશિપના રિપ્રેઝેન્ટેટિવ પણ હતા, તેઓએ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે આ મુદ્દે વાત કરી, જે બાદ 1988માં ધ ઓરોવિલ ફાઉન્ડેશન એક્ટ સંસદમાં પાસ થયો. આ એક્ટ અંતર્ગત જ અહીંની તમામ ચલ અને અચલ સંપત્તિ ફાઉન્ડેશનના આધીન આવી ગઈ. અહીં ત્રણ સ્તરવાળું ગવર્નિગ સિસ્ટમ કે જે ગર્વર્નિગ બોર્ડ, રિસેડન્ટ એસેમ્બલી અને ઓરોવિલ ઈન્ટરનેશનલ એડવાયઝરી કાઉન્સિલ લાગુ કરાયું. ઓરોવિલ ફાઉન્ડેશન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ અંતર્ગત આવતું એક ઓટોનોમસ બોડી છે. એરોવિલ ભારત સરકારની અંદર હોવા છતાં પણ તે સ્વતંત્ર છે, જ્યાં ભારત સરકારના પ્રતિનિધિ કે IAS અધિકારીની નિમણૂંક થાય છે.

એક એવું મંદિર જેની નકલ થી ભારતના સંસદભવનની ડીઝાઈન તૈયાર થઈ છે.

Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘો...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...